બત્રીસ પુતળી ની વાર્તા | સિંહાસન બત્રીસી ભાગ-૧ । પહેલી પુતળી રત્ન મંજરીની વાર્તા । વિક્રમરાજા ની વાર્તા ગુજરાતી | Sinhasan batrisi part-1 | Sihasan battisi part-1

 ૧. રત્ન મંજરીની વાર્તા 


               ઉજજેની નગરીના છેવાડે કુંભારની વસ્તી હતી. માટીના પાત્રો બનાવી કુંભારો સુખે જીવન વીતાવતા હતા. વસ્તીની આસપાસ માટીના ટીંબા હતા. માટી ઘણીજ સુંદર અને ચિંકણી હતી. એના પાત્ર સરળતાથી મજબૂત અને સુંદર બનતા. વળી કુંભારો ગાય, ભેંસ, બકરી વગેરે પણ રાખતા. વ્રજભાણ નામનો એક ભરવાડ આ ઢોર ચારતો. 
        વ્રજભાણ ને એક પુત્ર હતો. એનું નામ ચંદ્રભાણ હતું. એ ઘણો ભોળો હતો. ઢોર ચારવા જતો ત્યારે ઢોર ને રખડતા મુકી ટીખા પર સુઈ. જતો એની સાથેના બીજા છોકરા રમતે અને ઢોરનું ધ્યાન રાખતા રમતા 
     ચંદ્રભાણ હંમેશની ટેવ પ્રમાણે બપોરના સમયે એક ટીંબા પર ચઢીને સુઈ ગયો. સુઈને ઉઠયો ત્યારે એને ઘણું વિચિત્ર લાગ્યું'એણે બુમ પાડીને છોકરાઓને બોલાવ્યા અને ઘણુંજ શાનથી પૂછવા લાગ્યો અહીંનો રાજા કોણ છે ? 
   બધા છોકરા એક બીજા સામે તાકી રહ્યા પણ એક છોકરો બોલી ઉઠયો-આપણા રાજાનું નામ મહારાજા ભોજ છે. નામ સાંભળાતાં જ ચંદ્રભાણ નો ચહેરો તમતમી ગયો.એ ત્રાડ પાડતા બોલ્યો'રાજા સાવ મૂર્ખ છે.ગધેડો છે.એને ન્યાય કરતા નથી આવડતુ.એ પ્રજાને ઘણો અન્યાય કરે છે એને પકડીને મારા દરબારમાં હાજર કરો.' 
     આ સાંભળી છોકરા ડરી ગયા.એક બોલ્યો ભાંગો અહીં થી આ આપણા રાજાને ગાળો દે છે.જો કોઈ સાંભળી જશે તો એની સાથે આપણે પણ માર્યા જઈશુ ભાગો.’ 
          બધા છોકરા ભાગી ગયા એટલે ચંદ્રભાણુ ટીંબા પરથી નીચે ઉતયો.નીચે ઉતરતાં જ એ સામાન્ય થઈ ગયો.સાંજે બધા ઘેર પાછા ફર્યાં. વસ્તીમાં વાત ચર્ચાવા લાગી.આ વાત ચિતુરી ચમારે સાંભળી.
એણે એક સૈનિક ને વાત કરી.સૈનિકે તરત રાજા ભોજને ગાળો દેનાર ચંદ્રભાણ ને પકડી લીધો અને દરબારમાં રજુ કર્યો.નવાઈની વાત હતી.આટલો નાનો છોકરો રાજા ભોજને ગાળો દે? 
       રાજા ભોજ ને પોતાને નવાઈ લાગતી હતી .ચંદ્રભાણની હાલત ખરાબ હતી.બંન્ને હાથ જોડીને એ રાજા સામે ઉભો હતો. થર થર ક્રાંપતો હતો.'તું ટીંબા પર ઉભો રહીને શું બકી રહ્યો હતો?'રાજાએ પૂછયુ. સરકાર....અન્નદાતા.. ચંદ્રભાણ ડરતા ડરતા બોલ્યો-એ ટીંબા પર જતાં જ મને ન જાણે શું થઈ જાય છે.’ 
       રાજા ભોજની બાજુમાં બેઠેલો મંત્રી ધ્યાનથી બધું સાંભળી રહ્યો હતો.એને ચંદ્રભાણની હાલત પર દયા આવતી હતી.એ બોલ્યો ચાલો આપણે એ ટીબા પર જઈએ. 
ચંદ્રભાણ અને સેનિકોને સાથે લઈને ટીબા પાસે ગયો.ધ્રુજતો ચંદ્રભાણ ટીંબા પર ચઢયો કે કે તરત એનો ગભરાવ ધ્રુજારી બંધ થઈ ગયા.
     એનું શરીર ટટ્ટાર થઈ ગયું. ચહેરા પર અપૂર્વ તેજ આવી ગયું. એ ત્રાડ પાડતા બોલ્યો - કયાં ગયો રાજા ભોજ ! એને ન્યાય કરતાં પણ નથી આવડતુ. 
આ સાંભળી મંત્રી વિચારમાં પડયો. પછી ચંદ્રભાણ નીચે ઉતર્યો અને મંત્રીના પગમાં પડી ગયો. મંત્રીએ એને માફ કરી દીધો 
મંત્રી રાજા ભોજ પાસે આવી કહેવા લાગ્યો. 
     “હે રાજન, છોકરો નિર્દોષ છે પણ જગ્યાનો માણસ માત્ર પર પ્રભાવ પડે છે. મારા ખ્યાલથી એ ટીંબા નીચે કાંઈક છે. તમે આજ્ઞા આપો તે ખોદકામ કરાવું. 
      રાજાભોજે આજ્ઞા આપી એટલે ટીંબાનું ખોદકામ શરુ થયુ. પંદર દિવસ પછી એક ભવ્ય સિંહાસન દેખાયું એને સાફ કરાયું તો સિંહાસન-ની કલા કારીગરી જોઈ બધા મોંમાં આંગળા નાંખી ગયા.ધામધુમ થી સિંહાસનને રાજભવન લવાયું. અને બ્રાહ્મણોએ સિંહાસનનું શુદ્ધિકરણ તથા પૂજન અર્ચન કર્યા પછી રાજના દરબારમાં મુક્યું. 
     સિંહાસન સોનાનું હતું. એના પર કોતરવામાં આવેલી બત્રીસ પૂતળીઓ સજીવ લાગતી હતી.
જાણે હમણાં બોલી ઉઠશે. 
      શુભ મૂહુર્તે રાજા ભોજ સિંહાસન પર આરુઢ થવા માટે આગળ વધ્યો. બ્રાહ્મણોએ સ્વસ્તિ વચન શરુ કર્યાં. અચાનક એક પુતળી બોલી 'સબુર રાજા ભોજ શું તું આ સિંહાસન પર બેસવા યોગ્ય છે?’ 
        રાજા ભોજ ! અને આખો દરબાર આશ્વર્ય ચક્તિ થઈ ગયો. ત્યારે પુતળી કહેવા લાગી 'હે રાજા ભોજ! મારુ નામ રત્નમંજરી છે. તારામાં રાજા વિક્રમ જેવા ગુણ હોય તોજ તું આ સિંહાસન પર બેસી શકીશ. રાજા ભોજે પૂછયુ-'તમે કોણ છો ? અને તમે મને સિંહાસન પર બેસતાં કેમ રોકો છો ? 
પૂતળી બોલી તો સાંભળો. અમે અમરાવતીની શ્રાપ્રિત પૂતળીઓ છીએ-માતા પાર્વતીનો અમારી ઉપર શ્રાપ છે. 
          દેવ લોકમાં દેવોનાદેવ ઇન્દ્રને નૃત્યગાનથી પ્રસન્ન કરનાર ઘણી અપ્સરાઓ માની અમે બત્રીસ અપ્સરાઓ નૃત્ય ગાનમાં પારંગત હતી. દેવો,દેવાંગનાઓ, કિન્નરો, ગાંધવો અમારી મુક્ત કંઠે પ્રસંસા કરતા હતા. 
એક દિવસ અમે બત્રીસ અપ્સરાઓ કૈલાસ પર્વત પર ફરવા નીકળી હતી. ત્યાંનું પાકૃતિક સૌંદર્ય જોતાં જોતાં ગંગા નદીના કિનારે પહોંચી ગયા. એટલામાં અમારી નજર સામે કિનારે મોટી શિલા પર સમાધિમાં બેઠેલા શંકર ભગવાન પર પડી. અમે બત્રીસે અપ્સરાઓ તેમના પર મોહી પડી. 
        એટલામાં પાર્વતી માતા આવ્યા. તેમણે અમારી વાતો સાંભળી. પાર્વતી માતાએ અમને શ્રાપ આપ્યો કે 'હે અપ્સરાઓ, તમે મારા પતિ પર કુદષ્ટિ કરી છે. તેથી તમને શ્રાપ આપુ છું કૈ તમે કૈલાસ પર્વત પર આવેલા સિંહાસન પરની પુતળીઓ બની જાવ અને સિંહાસનની શોભામાં વૃધારે કરો'. આમ કહી પાર્વતી માતા ચાલ્યા ગયા. 
        આ સિંહાસન બ્રહ્માજીએ વિશ્વ કર્મા પાસે બનાવડાવી શંકર ભગવાનને તેમના લગ્ન પ્રસંગે ભેટ આપેલું. 
ઈન્દ્રલોકની સભા અમારા વગર સૂની થઈ ગઈ. દેવોના દેવ ઇન્દ્રએ સમાધી લગાવી અને જાણ્યું કે દેવલોકની અપ્સરાઓ માતા પાર્વતીના શ્રાપથી કૈલાસ પર્વત પર આવેલા સિંહાસનની બત્રીસ પુતળીઓ બની ગઈ છે. તેથી           તેઓએ અમોને શ્રાપમાંથી મુકત કરાવવા શંકર ભગવાન પાસે ગયા અને તેમની પુજા કરી પ્રસન્ન કર્યા ઈન્દ્રરાજાએ કહ્યું, 'હે ભગવાન, અમારા દેવલોકની અપ્સરાઓ પાર્વતી માતાના શ્રાપથી સિંહાસનની પુતળીઓ બની ગઈ છે તો તેમને શ્રાપથી મુકત કરાવવાનો ઉપાય બતાવ્યો.’ 
બાજુમાં ઉભેલા પાર્વતી માતા બોલ્યા-‘એક ઉપાય છે અને તે એ છે કે આ સિંહાસન પર જ્યારે માલવપતિ રાજા            ભોજ બેસવા જશે ત્યારે આ અપ્સરાઓ શ્રાપથી મુક્ત બનશે.અને ફરીથી સ્વગૅ ની અપ્સરાઓ બનશે.’ આ સાંભળી શંકર ભગવાન અને દેવોના દેવ ઇન્દ્ર બંને આનંદિત થઈ ગયા. શંકર ભગવાને એ સિંહાસન ઈન્દ્રરાજાને ભેટ આપી દીધું. 
      ઇન્દ્રરાજા રથમાં સિંહાસન લઈને પોતાને ત્યાં અમરાવતી આવ્યા. એ સિંહાસન જોઈ દેવ-લોકો દણાં ખુશ થયા.સિંહાસનની પૂજા વિધિ કરી સભામાં ગોઠવામાં આવ્યુ. ઈન્દ્રરાજા સિંહાસન જોઈ ઘણાં ખુશ થતા. પણ      સિંહાસન પર બેસવાની તેમની હિંમત થતી ન હતી.રાજા ઈન્દ્રના દરબારમાં રંભા અને ઉર્વશી નામની બે             અપ્સરાઓ નાચગાનમાં ઘણી પારંગત હતી. તેઓ નૃત્યગાનથી દેવ સભાના દેવોને પ્રસન્ન કરતી. દેવોના દેવ ઈન્દ્રના જન્મ દિવસે નૃત્ય-ગાન યોજવામાં આવેલ. પરંતુ રંભા અને ઉર્વશી બન્ને પ્રથમ નૃત્ય કરવા માટે જિદ્દે ચઢેલા.એટલામાં નારદજી ફરતાં ફરતાં ત્યાં આવી ચડયા. તેમને કહ્યું આ વાતનો ઉકેલ તમારો પૌત્ર રાજા વિક્રમ     કરી શકે તેમ છે. ઈન્દ્રરાજાએ કહ્યું. ‘મુનીવર તો તમે જ વિક્રમને અહિં લઈ આવો તો સારૂં.' 
નારદજી ઉજજૈન નગરીમાં ગયા અને રાજા વિક્રમને સ્વર્ગમાં તેડી લાવ્યા. રાજા વિક્રમ દેવ-લોકની સજાવટ જોઈ દંગ થઈ ગયા. તેમને યોગ્ય આસને બેસાડવામાં આવ્યા. રંભા અને ઉદ્દેશી એમાંથી કોણ શ્રેષ્ઠ નર્તકી છે તે જણાવવા કહ્યું.ઈન્દ્રરાજાએ નૃત્ય ચાલુ કરવાનો આદેશ આપ્યો. વાઘ-વાજિંત્રો પર સૂર રેલાવા લાગ્યા. રંભા અને ઉર્વશી બન્નેએ નૃત્ય-ગાન શરૂ કર્યું. બન્નેએ પોતાની સમગ્ર શક્રિત નૃત્યમાં રેડી દીધી. રાજા ઈન્દ્ર અને વીર વિક્રમ બન્ને ધ્યાન પુર્વક નૃત્યગાન જોવા લાગ્યા. નૃત્યગાન સમાપ્ત થતાં રાજા વિક્રમે કહ્યું-‘રંભાનો સ્વર ઘણો મધૂર છે. તેનુ દેહ લાલિત્વ ગમે તેને લોભાવી દે તેવુ છે. જ્યારે ઉર્વસી નૃત્યમાં ઘણી નિપુર્ણ છે. તે વાજિંત્રોના સૂર સાથે ઉત્તમ રીતે તાલ મીલાવી શકે છે. તેમજ તે ઘણી સ્વરૂપવાન પણ છે. આમ રંભા સ્વર નિપુર્ણ છે. જ્યારે ઉર્વશી નૃત્ય-કલામાં નિપુર્ણ છે. એટલે કે તેઓ બન્ને એક બીજાના પૂરક છે. મારે મન તો કોઈ ચડિયાતી કે ઉતરતી નથી. 
આ જવાબ સાંભળી સમગ્ર દેવલોકના દેવો આનંદીત થઈ ગયા. ઇન્દ્રરાજાએ ખુશ થઈ શંકર 'ભગવાને આપેલુ સિંહાસન વીર વિક્રમને ભેટ આપ્યુ અને માનભેર તેમને વિદાય આપી. 
રાજા વિક્રમ સિંહાસન લઈને ઉજજૈન આવ્યા.સિંહાસનને પિતાના મહેલમાં પૂજન વિધિ કરી મુકાવ્યું. રાજા વિક્રમ એ સિંહાસન પર બેસતા અને નાચગાનમાં દિવસો પસાર કરતા, પ્રજા પ્રત્યેનું કર્તવ્ય બિલકુલ ભૂલી ગયા રાજ્યમાં અંધાધુંધી ફેલાવા લાગી. 
મંત્રીઓ, વિદ્વાનો એ રાજા વિક્રમને રાજ્યની પરિસ્થિતી જણાવી ત્યારે રાજા વિક્રમને ઘણું દુઃખ થયું. રાજા વિક્રમને લાગ્યુ કે જ્યારથી આ સિંહાસન મહેલમાં લાવ્યો છું ત્યારથી હું વિલાસી જીવન જીવતો થઈ ગયો છું. મારે મારા રાજ્યની રક્ષા કરવી હોય તો આ સિંહાસન ને મારી આંખ સામેથી દુર કરવું પડશે. તેથી તેમને સિંહાસનને નગરની બહાર ખાડો ખોદાવી વિધિ પૂર્વક જમીનમાં દાટી દેવડાવ્યું અને ત્યાં માટીનો મોટો ટેકરો કરી નંખાવ્યો. 
ત્યારબાદ રાજા વિક્રમે પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે અપીં દીધું. 
પહેલી પૂતળી બોલી અહીં સિંહાસનની વાત પૂરી થાય છે. જો તું રાજા વિક્રમ જેવો પરદુઃખ ભંજન,વીરોમાં વીર બુદ્ધિમાં શ્રેષ્ઠ હોય તોજ તું આ સિંહાસન પર બેસવાની હિંમતકરજે. 
રાજા વિક્રમની યશ ગાથા હું તને જણાવું છું. 
અંબાવતી નગરીના રાજાનું નામ ધર્મસેન હતુ. એ ધર્મનું પાલન કરવા વાળો હતો. એણે ચાર લગ્ન કર્યાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કન્યા સાથે. ચારે રાણી ઘણી રૂપવતી હતી. ચારે ને એક એક પુત્ર હતો. બ્રાહ્મણીના પુત્રનું નામ શંખ હતુ, ક્ષત્રિણીના પુત્રનું વિક્રમ, નૈવૈશ્ય રાણીના પુત્રનુ નામ ચંદ્ર અને શુદ્ર રાણીનું ધન્વંતરી હતુ. ચારે રાજકુમાર અત્યંત મેઘાવી હતા પણ શંખ આત્યંત ધુર્ત અને સ્વાર્થી હતો 
ધર્મસેન ને વિક્રમ પર વધુ સ્નેહ. હતો. તેથી બધા એમજ માનતા હતા કે રાજા પોતાની ગાદી વિક્રમ ને સોપશે. શંખને આ વાતની ઘણી ચિંતા થતી. તેથી એણે એક કાવતરુ કર્યું. એક રાતે ઘસઘસાટ ઉંઘતા પિતા ધર્મસેનની હત્યા કરી નાખી અને પોતે રાજા બની બેઠો. આ સમાચાર મળતાં જ વિક્રમ, ચંદ્ર અને ધન્વંતરી ભાગી છુટયા. શંખે મારવાવાળા પાછળ મોકલ્યા.ચંદ્ર અને ધન્વંતરી માર્યા ગયા પણ વિક્રમ ગાઢ અરણ્યમાં ચાલ્યો ગયો તેથી એનો પતો ન લાગ્યો. 
શંખ રાજા તો બની ગયો પણ વિક્રમથી ઘણો ભયભીત રહેવા લાગ્યો એનું મન સતત શંકાશીલ રહેતું કે વિક્રમ કેઈ પડોશી રાજાની મદદ લઈ આક્રમણ ન કરે.આ ચિંતાના કારણે એની ઉંઘ હરામ થઈ ગઈ. ગુપ્તચરો વિક્રમને શોધતા હતા પણ વિક્રેમનો ક્યાંય પતો ન હતો.આખરે હારીને શંખે પોતાના રાજના વિધવાન જ્યોતિષીઓને બોલાવી ને કહ્યું‘તમે લોકો ગણતરી કરીને કહો કે વિક્રમ ક્યાં છે?” 
વિદ્ધાનોએ ગણતરી કરીને કહ્યું-'હે રાજા, વિક્રમ જીવતો છે અને તપસ્યા કરી રહ્યો છે. એના ભાગ્યમાં રાજયોગ છે. એ રાજ પ્રાપ્ત કરી અત્યંત યશસ્વી સમ્રાટ બનશે. ઇતિહાસમાં એનું નામ રહેશે.' 
આ સાંભળી ચિંતાતુર થઈ ગયેલા રાજા શંખે ગુપ્તચરોને આદેશ આપ્યો કે વિક્રમને પાતાળ માંથી શોઢી કાઢો અને મારી નાખો. 
ગુપ્તચરો નિકળી પડયા. એમણે એક ગાઢ અરણ્યમાં એક તપસ્વીને કઠોર તપશ્ચયા કરતો જોયો સરોવરના કાંઠે એની પર્ણકુટી હતી.
ગુપ્તચરોએ પાછા આવીને શંખને જાણ કરી તો શંખ સશસ્ર સૈનિકો સાથે ત્યાં ગયો. એ તપસ્વી વિક્રમ જ હતો.   શંખે એને મારી નાંખવા માટે એક તાંત્રીકને સાધ્યો. તાંત્રિકે વિક્રમ પાસે જઈને કહ્યું કે હું પણ મહાકાળીનો ભકત  છુ. માટે મહાકાળી મંદિરમાં પધારે.યોજના એવી હતી કે જયારે વિક્રમ મહાકાળી સામે સાષ્ટાંગ પ્રણામ કરવા માટે મસ્તક ઝુકાવે એજ વખતે ત્યાં છુપાયેલો રાજા શંખ તલવારના ઘા થી વિક્રમનું મસ્તક ઉડાવી દે. ખેલ ખત્મ થઈ જાય. મહાકાળીને બલી પણ ચઢે. આ રીતે તાંત્રિકને એક વધુ સિધ્ધિ પણ મળે.તાંત્રિકનું આમંત્રણ રવીકારી વિક્રમ મહાકાળીના મંદિરે આવ્યો. પોતાની તપસ્યા અને ધ્યાન યોગના પ્રભાવે એને આવનારા સંકટનો આભાસ થઈ ગયો હતો. તેથી એ ઘણો સાવધ હતો.મહાકાળી મંદિરના ભોંયરામાં બિરાજમાન હતા. ત્યાં અંધકાર હતો. વિક્રમે પુજારીનો હાથ પકડીને કહ્યું કે આજ એક નવી તાંત્રિક વિધિથી માને પ્રણામ કરશું. સાષ્ટાંગ દંડવત કરતી વખતે એણે તાંત્રિકને જમણી બાજુ રાખ્યો પછી પોતે પાછળ ખસી ગયો. થોડીવારે શંખ આવ્યો અને તલવાર વીંઝી, તાંત્રિકનું માથુ ધડથી અલગ થઈ ગયું. આ જોઈ વિક્રમે એક જ ઝાટકે શંખને ખત્મ કરી નાખ્યો અને એનું માથું લઈને રાજમહેલમાં આવ્યો.પ્રજાએ વિક્રમનો જય જયકાર કર્યો.
'હે રાજા ભોજ આ રીતે વિક્રમે પોતાનું ખોવાયેલું રાજ્ય પ્રાપ્ત કરી લીધું. અને પિતાની હત્યાનો પણ બદલો લીધો. તારામાં આવી હિંમત અને બહાદુરી હોય તો જ તું આ સિંહાસન પર બેસજે.
આમ કહી રત્નમંજરી આકાશે ઉડી ગઈ. રાજા ભોજ અને દરબારી જોતા રહી ગયા.

No comments:

Post a Comment