ચોથી પુતળી ચંદ્રકળાની વાર્તા | બત્રીસ પુતળી ની વાર્તા | સિંહાસન બત્રીસી ભાગ-4 । વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | Sinhasan battisi part-4 | Sihasan batrisi part-4

 ૪. ચંદ્રકળાની વાર્તા 

    સિંહાસન પર આરૂઢ થવા તૈયાર થયેલાં રાજા ભોજને રોકતા ચંદ્રકળા નામની પુતળી બોલી-હે રાજા ભોજ, વીર વિક્રમ કેવો દાનવીર હતો એની એક વાત હું તને કહું છું. એ તું સાંભળ. 'અમરપુરી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો 

એક દિવસ એની ઝુંપડીને આગ લાગી એનું સર્વસ્વ સ્વાહા થઈ ગયું. તેથી બ્રાહ્મણ-બ્રાહ્મણી રડવા લાગ્યા. પડોશની એક સ્ત્રી બ્રાહ્મણીને સાંત્વના આપી પોતાના ઘેર લઈ ગઈ અને કહેવા લાગી-'હે બહેન રડ નહી. ઉજજૈની નગરીનો રાજા વિક્રમ ઘણો દાનવીર છે. કોઈ એના દરબારમાંથી ખાલી હાથે પાછુ જતુ નથી. તું તારા પતિને રાજા વિક્રમ પાસે મોકલ. એમની પાસેથી એક નાનુ મકાન માગી સુખે રહો.' 

         બ્રાહ્મણીના ગળે વાત ઉતરી ગઈ. એણે પતિને વાત કરી. 

બ્રાહ્મણ બોલ્યો- 'તારી વાત સાચી છે રાજા વિક્રમની દાનવીરતાની મેં પણ પ્રશંસા સાંભળી છે. 

આ બહાને સચ્ચાઈ જાણવા મળશે.’ 

બ્રાહ્મણ ઉજજૈની નગરીમાં આવ્યો. પૂછતો પૂછતો રાજ દરબારમાં આવ્યો. વિક્રમનો આંખ આંજી નાખે એવો ભવ્ય મહેલ જોઈ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે અરેરે ! હું પણ મહામૂર્ખ છું. સમંદર માંથી એક ખોબો ભરીને જળ લેવું એ નરી મૂર્ખતા જ ગણાય. માગી માગીને નાનુ મકાન શું માગવુ. મહેલ જ શા માટે ન માગી લેવો? 

આમં વિચાર કરતો બ્રાહ્મણ રાજ દરબારમાં ગયો. રાજા વિક્રમને પોતાનું દુઃખ જણાવતા કહ્યું. 'હે રાજન, મારી ઝુંપડી બળી ગઈ છે. માથુ છુપાવવાની પણ જગ્યા નથી. 

'શું ઈચ્છો છો બ્રાહ્મણ દેવતા.’ 

'માથું છુપાવાની જગ્યા.’ 

'અન્નદાતા એક મહેલ ઈચ્છું છું.'


‘મારો મહેલ જોઈએ છે ? 

'જેવી તમારી કૃપા અન્નદાતા. 

સારૂ આપ્યો. 

રાજા વિક્રમે પોતાનો રાજમહેલ બ્રાહ્મણને દાનમાં આપી દીધો. બ્રાહ્મણ ચકિત થઈ ગયો એને આવી આશા ન હતી. એ તો સ્તબ્ધ થઈ ગયો. 

રાજાના આ દાનના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. બધે રાજાની પ્રશંસા થવા લાગી કે વિક્રમ જેવો દાની પુરૂષ મળેવો દુર્લભ છે. 

બ્રાહ્મણ રાજાનો મહેલ મળતા ચક્તિ હતો. બ્રાહ્મણી સહિત એ વિશાળ રાજમહેલમાં આવી ગયો. પણ આટલો મોટો સૂનો મહેલ જોઈ એની બુદ્ધિ કામ કરતી ન હતી. શું કરવું ? 'બ્રાહ્મણી પણ ચકિત હતીએ. તો બ્રાહ્મણ પર રોષે ભરાઈને બોલી પણ ખરી 

રાજા પાસે આટલો મોટો મહેલ માગવાની શું જરૂર હતી. નાનકડું મકાન માંગવું હતું રાજા વિક્રમે તો રાજ મહેલ ખાલી કરી દીધો. 

‘મેં મહેલ માગ્યો હતો, રાજ મહેલ નહીં 'તો રાજાએ રાજ મહેલ કેમ આપી દીધો! 

'પોતાની મરજી થી..'હવે આટલો મોટો મહેલ લઈને આપણે શું કરછુ १' 

બ્રાહ્મણ જવાબ ન આપી શકયો. 

-

     રાજાના શાનદાર મહેલમાં એક ખુણામાં એમણે પોતાની નાનકડી ગૃહસ્થી જમાવી. એજ ખુણામાં બ્રાહ્મણ બ્રાહ્મણીએ રસોઈ કરી. 

ખાઈ-પીને બ્રાહ્મણ-બ્રાહ્મણી સુઈ ગયા. સૂનો મહેલ સાંય સાંય કરતો હતો. રાતના સન્નાટા સાથે મહેલનું વાતાવરણ વધુ ડરામણુ થતું ગયું બંન્નેને ઊંઘ આવતી ન હતી. બન્ને ચુપચાપ એક તરફ પડયા હતા. રહીને પડખા - ઘસતા હતા. બ્રાહ્મણ પરેશાન હતો. આટલો મોટો મહેલ મફતમાં લઈને એણે પરેશાની વહોરી લીધી. હતી.આ વિશાળ મહેલનું કરવું શું? આ મહેલના બદલે એક ઝંપડી માગી લીધી હોત તો સારુ હતું. 

     અજ્ઞાત ભયના કારણે બન્નેને ઉંઘ આવતી ન હતી. 

અચાનક મધરાત પછી મહેલમાં કાંઈક આવાજ થયો. જોત જોતામાં બ્રાહ્મણ બ્રાહ્મણી જમીન પરથી ઉંચકાઈને સુંદર શૈયા પર આવી ગયા. મહેલના એ ભાગ અનેક પ્રકારના સામાનથી ભરાઈ ગયા

'અરે…આ શું?' બ્રાહ્મણી ગભરાઈ ગઈ. બ્રાહ્મણ પણ ગભરાઈને બેઠો થઈ ગયો. 'હે, ભગવાન! આ શું ચમત્કાર છે !' 

બ્રાહ્મણી ભયથી થર થર કાંપવા લાગી. એ ગભરાઈ ને બોલી’આ ઘરમાં ભૂત-પ્રેતની માયા લાગે છે. આ બધુ શું થઈ ગયું ?’ 

બ્રાહ્મણ ઘણોજ ડરી ગયો. ત્યાંજ કોક અવાજ થયો. બ્રાહ્મણ ડરતા ડરતા બોલ્યો કોણ....છે ?, 'હુ છું.”અવાજ આવ્યો, 'અરે.. બાપરે ભૂત પ્રેત...ભાગ. અવાજ સાંભળતા જ બ્રાહ્મણી ભાગી અને પાછળ બ્રાહ્મણ ભાગ્યા. મહેલની બહાર જમીન પર બેડા બેઠા આખી રાત રામ રામ રામ નું નામ લઈ ને વિતાવી સવાર પડતાંજ બ્રાહ્મણ કાન પકડતા બોલ્યો-

આ મહેલમાં રહેવાની તાકાત આપણી નથી. હું અત્યારે જ મહેલ રાજાને પાછો આપું છું. 

સવાર પડતાંજ બ્રાહ્મણ વિક્રમ પાસે ગયો. વિક્રમના પગમાં પડી જતાં બોલ્યો- હે રાજન

મારે મહેલ નથી જોઈતો. ત્યાં ભૂત રહે છે.” 

     ત્યારે વિક્રમ બોલ્યો'હે બ્રાહ્મણ દેવતા, તમે ભલે નિર્ધન હો, પણ મારા માટે પૂજનીય છે. તમને આપેલો મહેલ ભલા હું કઈ રીતે લઈ શકું ? દાન આપેલી વસ્તુ પાછી લઉં તો હું પાપમાં પડુ.' 

બ્રાહ્મણ શું બોલે ? મહામંત્રી એ તોડ કાઢય! કે મહેલનુ મૂલ્ય આપીને પાછો લઈ શકાય. રાજા વિક્રમે તરત એનું મૂલ્ય ચુકવી દેવાની આજ્ઞા કરી. 

ધનનો ઢગલો મળતા બ્રાહ્મણ રાજના રેડ થઈ ગયો. તરત બ્રાહ્મણીને સાથે લઈને પોતાના ગામ તરફ રવાના થયો. 

હવે આ બાજુ વિક્રમને બ્રાહ્મણની વાતથી ઘણી નવાઈ લાગી. મહેલમાં ભૂત રહેતા હોય એ વાત માનવા વિક્રમ તૈયાર ન હતો. એટલે એણે આખી રાત જાગવાનુ નક્કી કર્યું". 

રાતે વિક્રમ મહેલમાં એકલો સુતો. મધરાતે અવાજ થતાં જ એણે તલવાર ખેંચી પણ ક્યાંય કોઈ ન હતું. એવાજ ફરી થયો ત્યારે વિક્રમે બુમ મારી ! 'કોણ છે ?' 

'હું……'જવાબ માળ્યો ‘હું કોણ ?, 

'હું……લક્ષ્મી… તારા રાજ્યની લક્ષ્મી. રાજા વિક્રમ તું ધર્માચરણ કરે છે તેથી તારા મહેલમાં-મારો વાસ છે.' 

વિક્રમ ગદગદ થઈ ગયો. પ્રણામ કરતાં બોલ્યો 'મા, તમારી ઘણી કૃપા છે. લક્ષ્મી રાજા વિક્રમની સામે આવી. વિક્રમે સાષ્ટાંગ પ્રણામ કર્યો એ પ્રસન્ન થતા બોલી-

'હે વિક્રમ ! હું તારા પર પ્રસન્ન છુ. જોઈએ તે માગી લે. રાજા વિક્રમ હાથ જોડી ને ઉભો રહ્યો તો લક્ષ્મી ફરી બોલી-'જે ઈચ્છા હોય એ માગી લે વિક્રમ. 

રાજા વિક્રમ થોડીવાર મૌન ઉભો રહ્યો પછી બોલ્યો 'હે દેવી ! તમારી એવી આજ્ઞા છે તો મારો મહેલ છોડી મારી પ્રજાના ઘેર ઘેર ધન વર્ષો કરી દો. 

'તથાસ્તુ.' કહીને લક્ષ્મી ચાલી ગઈ. 

હે રાજા ભોજ. એ રાતે ઉજ્જેન નગરી ના ઘરેઘરમાં દાનની વર્ષા થઈ. વિક્રમની પ્રજા ધનથી પરિપૂર્ણ થઈ ગઈ. વિક્રમે લક્ષ્મી પ્રસન્ન થતા, પોતાના માટે નહીં પોતાની પ્રજા માટે ધન માગ્યુ. તું આટલો ઉદાર છે? ગરીબ બ્રાહ્મણને તારો મહેલ દાનમાં આપી શકે છે? તેં કદી આવા કામ કર્યા છે? જો કર્યા હોય તો આ સિંહાસન પર બેસ નહીંતર નહીં. 

આટલુ કહીને ચંદ્રકળા આકાશમાં ઉડી ગઈ

No comments:

Post a Comment