સિંહાસન બત્રીસી ભાગ-27-28-29-30-31-32 અને ખાલી સિંહાસન । બત્રીસ પુતળી ની વાર્તા | વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | 27-28-29-30-31-32 પુતળીની વાર્તા અને ખાલી સિંહાસન Sinhasan battisi episode-27-28-29-30-31-32

 

૨૭. જય જ્યોતિની વાર્તા 

'હે રાજા ભોજ સાંભળ, મારુ નામ જય જ્યોતિ છે હું તને રાજા વિક્રમની એક કથા સંભળાવું છું. 
વિક્રમની પ્રશંસા કરવા માટે દુર દુરથી ભાટ, ચારણ આવતા. બધા એની પ્રશંસા કરતા અને રાજાને ઈંદ્ર સમાન ગણાવતા. 
એક દિવસ વિક્રમને વિચાર આવ્યો કે આખરે ઈન્દ્ર કેવો છે? કેવો એનો દરબાર છે. એનામાં શું ગુણ છે? આ જાણવા માટે એનું મન ઉત્સુક થઈ ગયું. 
એક રાતે પોતાના શયનખંડમાં એણે વૈતાળને યાદ કર્યો. વૈતાળ તરત હાજર થયો. વિક્રમે કહ્યું-“હું ઈન્દ્રલોક જોવા ઇચ્છુ છું.' 
'સારૂ કાલે હું તમને એક ઘોડો આપીશ. તમે એના પર બેસજો. એ તમને જંગલમાં લઈ જશે પછી ત્યાંથી એ વાયુવેગે ઉડીને તમને આકાશ માર્ગે ઈન્દ્રના દરબારમાં લઈ જશે.’ 
બીજા દિવસે વૈતાળ એક ઘોડો આપી ગયો. વિક્રમ એના પર બેસી ગયો. ઘોડો વાયુ વેગે ગાઢ જંગલમાં આવ્યો. હણહણયો. પછી તે આકાશમાં ઉડયો અને વિક્રમને ઈન્દ્રપુરીમાં લઈ ગયો. 
વિક્રમ ઘોડા પરથી ઉતરીને ઈન્દ્રપુરીની શોભા નિહાળવા લાગ્યો. સાચે જ નિરાલી છટા હતી. દેવતા, દેવી, યક્ષ, કિન્નર, ગાંધર્વ, અપ્સરાઓ મુગ્ધ ભાવે જોતા રહ્યા સર્વત્ર નયનાભિરામ દૃશ્ય હતા. રાજા વિક્રમ ઈન્દ્રના દરબારમાં આવ્યો. 
અદ્દભુત શોભા હતી. ઈન્દ્ર દરબારની ત્રિભુવન મોહની અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. ઈન્દ્ર -ઈન્દ્રાણી સાથે સિંહાસન પર બેઠો હતો. 
રાજા વિક્રમને જોઈ ખળભળાટ મચી ગયો. ઇન્દ્રલોકમાં મનુષ્ય કઈ રીતે આવી ગયો ? બધા દેવતા ઇન્દ્ર તરફ જોવા લાગ્યા. જોતાંજ આશ્ચર્ય थयु. 
ઈન્દ્ર પોતાનુ સિંહાસન છોડી વિક્રમ તરફ આવ્યા. એના ચહેરા પર ક્રોધના નહીં આદરના ભાવ હતા. 
ઈન્દ્ર વિક્રમને ભેટી પડતા બોલ્યો-આવો રાજા વિક્રમ, ઘણું નામ સાંભળ્યું છે તમારી સર્વત્ર તમારી પ્રશંસા થઈ રહી છે. હું ઇન્દ્રલોકમાં તમારૂ હાર્દિક સ્વાગત કરૂ છું. આટલું કહી ઈન્દ્ર વિક્રમનો હાથ પકડી ઈન્દ્રાસન પાસે લઈ ગયો અને બેસવા માટે કહ્યું. 
વિક્રમને ખચકાટ થયો ક્યાં પોતે અને ક્યાં ઇન્દ્ર ! એ નમ્રતાથી બોલ્યો હે દેવ, હું તમારા સિંહાસન પર કઈ રીતે બેસી શકું, હું એને ' યોગ્ય નથી.” 
આ સાંભળી ઇન્દ્ર ફરી વિક્રમને ભેટી પડયો. હે રાજા ભોજ, જો વિક્રમ ઈન્દ્રાસન પર બેઠો હોત તો એનું બધુ પુણ્ય ક્ષીણ થઈ જાત. ઇન્દ્ર એજ ઇચ્છતો હતો પણ પોતાની નમ્રતાના કારણે વિક્રમ બચી ગયો. ઈન્દ્ર એને એક રાજ મુગટ આપતા કહ્યું. 
'જ્યાં સુધી આ રાજ મુગટ તારી પાસે હશે ત્યાં સુધી તારા પર કોઈ સંકટ નહીં આવે.' 
રાજ મુગટ ધારણ કરી અને પૃથ્વીલોકમાં ફરી વિક્રમ પાછો આવ્યો. 
હે રાજા ભોજ, તારામાં નમ્રતાનો આ ગુણ છે ? જો હોય તો આ સિંહાસન પર બેસ. હું તો ચાલી...' કહીને પુતળી આકાશ તરફ ઉડી ગઈ.


૨૮. મનમોહિની ની વાર્તા 

લાલચમાં આવીને માણસ શું નથી કરતો ! સિંહાસનનું આકર્ષણ જ કાંઈક એવું હતું ભોજના મનમાં આશા હતી કે કદાચ કોઈ પુતળી એને સિંહાસન પર બેસવાની રજા આપી દે. 
આ વખતે મનમોહીની નામની પુતળી બોલી-
એક સમયની વાત છે. વિક્રમના રાજ ના બે તપસ્વી પાતાળ લોકમાં ગયા. ત્યાં બલિ રાજાએ એમનું સ્વાગત કર્યું અને વિદાય વખતે એક મણિ આપતા કહ્યું-
'આ મણી જેની પાસે હશે એને જીવનમાં કદી જળ દુર્ઘટનાનો સામનો નહીં કરવો પડે.’
તપસ્વી પાછા આવ્યા એમને સંસારનો મોહ ન હતો એટલે એ બન્ને રાજા વિક્રમ પાસે ગયા અને વિક્રમને મણી ભેટ આપી દીધો. 
એક દિવસ વિક્રમ નદી કિનારે ગયો. 
એના રાજનું એક વહાણ ઉભુ હતું. વિક્રમે જોયું તો એક યુવતી એનું પૂજન કરી રહી હતી. 
વાંરંવાર પ્રાર્થના કરી રહી હતી-"મારા પતિની રક્ષા 
વિક્રમે એ યુવતી પાસે જઈને પૂછ્યું-'દેવી શું વાત છે. ?' 
યુવતી નમ્રતાથી બોલી-
‘મારા પતિ આ વહાણમાં વેપાર કરવા જાય છે. હું એમની શુભકામના કરી રહી છુ.' 
વિક્રમ યુવતીની પતિ ભકિત પર પ્રસન્ન થઈ ગયો અને બોલ્યો-
'રાજા વિક્રમના રાજમાં દુર્ઘટના નથી થતી. તું આ મણી તારા પતિને આપી દેજે. કોઈ પણ જળ દુર્ઘટના નહીં થાય.' 
વિક્રમે મણી આપી દીધો. યુવતીએ પોતાના પતિને આપ્યો. એ વેપાર કરવા ચાલ્યો ગયો: આરીતે વિક્રમના રાજનો વેપાર વધી ગયો. 
હે રાજા ભોજ, વિક્રમના રાજમાં કદી કોઈ જળ દુર્ઘટના નથી થઈ. શું તારા રાજમાં આવુ. થયું છે? જો થયું હોય તો આ સિંહાસન પર બેસ. 
રાજા ભોજ શું જવાબ આપે ? 
'હે રાજા ભોજ, તું આ સિંહાસન પર ત્યારે જ બેસી શકીશ જ્યારે વિક્રમનો એક પણ ગુણ તારામાં હશે.’ 
પોતાની વાત કહીને એ પુતળી પણ આકાશમાં ઉડી ગઈ. 
રાજા સોજ ચુપચાપ ઉભો રહી ગયો.. વિચારવા લાગ્યો શું સાચે જ એનામાં રાજા વિક્રમ-નો એક પણ નથી ?

૨૯. વૈદેહીની વાર્તા 

પોતાના મનમાં દૃઢ નિશ્ચય કરી રાજા ભોજ ફરી વિક્રમના સિંહાસન પર બેસવા માટે આગળ વધ્યો. ત્યાં જ એક પુતળી એનો રસ્તો રોકી. લેતા બોલી. 
'હે રાજા સાંભળ વિક્રમની એક કથા. જો એવો ગુણ તારામાં છે તો બેસ સિંહાસન પર.... 
એક સમયની વાત છે. વિક્રમ પોતાના શયનખંડમા સુતો હતો. ઉંઘમાં એણે અક સપનું જોયું રત્નજડિત એક સુંદર રાજ મહેલ છે. એમાં શાનદાર સજાવટ છે અને એના દ્વાર પર એક અત્યંત તેજસ્વી દ્વારપાળ ઉભો છે.મહેલમાં સુંદર અપ્સરાઓનું ગાયન વાદન ચાલી રહ્યું છે. 
એ મહેલની આસપાસ અનેક સુંદર કિલ્લા છે. 
 સપનામાં વિક્રમે પિતાને રાજાના રૂપમાં જોયો. 
ત્યાંજ એની ઉંઘ ઉડી ગઈ. 
એ બેઠો થઈ ગયો. વિચાર કરવા લાગ્યો. 
આવું સપનું એણે પહેલા કદી જોયું ન હતું. એને સપનામાં જોયેલા રત્નજડિત રાજમહેલને જોવાની ઈચ્છા થઈ. 
સવારે દરબાદમાં પંડિતો અને જયોતિષિઓને મોલાવી સપનાની વાત કરી પછી પુછયું- 'આવો રાજ મહેલ કયાં છે. ?' 
પંડિતોએ ગણતરી કરી. 
જયોતિષિઓએ શાસ્ત્રો જોયા. 
બધાએ મળીને જણાવ્યું- ‘દક્ષિણ દિશામાં આવો એક. રાજમહેલ છે. ત્યાં ફક્ત એજ જઈ શકે છે જે ઈશ્વર ભકત હોય સતત ઈશ્વરનું નામ લેતો હોય.” 
વિક્રમ ગુંચવાઈ ગયો. એ સતત પ્રજાની ભલાઈ અને રાજકાજમાં લાગ્યો રહે છે. એને ઈશ્વરનું નામ લેવાનો અવસર જ ક્યાં મળે છે.” 
વિક્રમને ગુંચવણમાં પડેલો જોઈ પ્રધાન બોલ્યો 
'મહારાજ, હું તમારી ચિંતા સમજુ છું. કૃપા કરીને તમે રાજપુરોહિતને સાથે લઈ જાવ. એ સતત ભગવાનનું નામ લેતા રહે છે. એમને સાથે રાખવાથી તમને ત્યાં પ્રવેશ મળી જશે.’ 
વિક્રમને વાત યોગ્ય લાગી. 
રાજપુરોહિતને સાથે લઈ એ દક્ષિણ તરફ ચાલતો થયો. કેટલાય દિવસની યાત્રા પછી એક વસ્તી આવી. વિક્રમ એક સાધારણ યાત્રીના વેશમાં હતો. એક ઘરમાં ઉતારો કર્યો રાતે પડોશના મકાનમાં રુદનનો અવાજ આવ્યો. 
વિક્રમ ચોંકીને બેઠો થઈ ગયો. કોઈ સ્ત્રી 
રડતી હતી 
'શું વાત છે, મા ? શા માટે રડો છો ?' 
‘મારો જવાન બેટો હજુ સુધી જંગલમાંથી પાછો નથી આવ્યો. કદાચ એને જંગલી જાનવર ખાઈ ગયા છે....' 
'એ જંગલમાં શા માટે ગયો હતો?’ 
'બેટા.... લાકડા કાપીને, એને વેચીને અમારૂ ગુજરાન ચાલે છે. એજ મારો એક સહારો છે. 
ભગવાન જાણે શું થયું હશે? બધાને ફરિયાદ 
કરી... કોઈ જવા તૈયાર નથી એટલે રહે છું... ‘ચિંતા ન કરો મા... હું તપાસ કરૂ છું.' 
વિક્રમ જંગલમાં ગયો અને રાતના અંધ-કારમાં ડોશીના છોકરાને શોધવા લાગ્યો. ડોશીનો છોકરો અક વૃક્ષ પર બેઠો હતો. નીચે એક સિંહ ઘાત લગાવીને બેઠો હતો. વિક્રમે સિંહને મારીને છોકરાને વૃક્ષ પરથી ઉતાર્યો અને ગામમાં આવી ડોશીને સોંપી દીધો. ડોસીએ વિક્રમને આશીર્વાદ દીધા. વિક્રમે યાત્રા ચાલુ રાખી. 
આખરે રાજમહેલ, આસપાસના કિલ્લા, દ્વારપાળ બધું દેખાયુ. વિક્રમ પ્રસન્ન થઈ ગયો. 
દ્વારપાળે બંન્નેને રોક્યા
'કોણ છે તું?' 
‘રાજા વિક્રમ. હું આ મહેલમાં જવા ઇચ્છુ છું. 
'થોભ. આ મહેલમાં એને જ જવા મળશે. 
જે ઈશ્વર ભક્ત હશે. જોઉં છું સૂચીમાં તારૂ નામ છે કે નહીં ?' 
એ દેવદૂતોએ આપેલી સૂચી જોવા લાગ્યો. ખુશ થઈને બોલ્યો- 'અરે! રાજા વિક્રમ, તમારૂ નામ તો સૌથી ઉપર છે. આવો. આવો....” 
વિક્રમ ખુશ થઈને બોલ્યો- ‘રાજ પુરોહિત મારી સાથે છે. એ સતત ઈશ્વરનું ભજન કરતા રહે છે. એ પણ આવશે.’ 
‘જોઉં છું…’ દ્વારપાળે કહ્યું અને આખી સૂચી' જોઈ નાખી. રાજપુરોહિતનું બોલ્યો-'હે રાજા, એમનું નામ નામ ન જોતા* નથી. તે છતાં તમારી ઈચ્છા હશે તો જવા દઈશ.' 
વિક્રમ રાજ પુરોહિતને મહેલમાં લઈ ગયો. પોતાની સાથે 
હે રાજા ભોજ, ભગવાનનો સતત જાપ કરવાથી સૌથી મોટા ઈશ્વર ભક્ત નથી થવાતું. કર્મની પૂજા, કર્તવ્યનું પાલન જ સૌથી મોટી ઈશ્વર પૂજા છે. તું વિક્રમ જેવો છે? જો હોય તો બેસ. નહીંતર નહીં. 
નૈદેહી પોતાની વાત પુરી કરી આકાશમાં ઉડી ગઈ. 
બધા વિસ્મયથી જોતા રહ્યા. 
રાજા ભોજ ફરી ઉદાસ થઈ ગયો. 


૩૦. રૂપવતીની વાર્તા 

'રાજા ભોજ ! અત્યાર સુધી તું એક પણ પુતળીની વાતનો જવાબ નથી આપી શક્યો તો પણ તારી લગનથી હું ખુશ છું. તેને સીધો સવાલ પુછું છું કે મનુષ્યે પોતાનું કર્તવ્ય અને કર્મ કોના દ્વારા નિધોરિત કરવું જોઈએ ? કયુ સત્ય એનું સમર્થન કરે છે ?' 
યુવતીની વાતનો જવાબ રાજા ન આપી શક્યો. તો એ બોલી-
‘મારૂ નામ રૂપવતી છે. હું તને આ સવાલના જવાબમાં રાજા વિક્રમની એક કથા સંભળાવુ છું. 
એક દિવસ વિક્રમ જંગલમાં શિકાર કરવા ગયો. જંગલ નાનુ હતું. એક હરણ વિક્રમની સામે
આવીને કહેવા લાગ્યું-
'હે રાજા, એક સિંહ મારી પાછળ પડયો છે. મારા પગમાં વાગ્યુ છે. દોડી શકાતુ નથી. એ મને મારી નાખશે. તમે મને બચાવો.’ 
રાજા વિક્રમે કહ્યું-“તારી રક્ષા હું ન કરી શકુ' 
ત્યાંજ સિંહ આવી ગયો. એણે હરણને મારી નાખ્યું. 
વિક્રમ પાછો ફર્યો. 
હવે બોલ રાજા ભોજ, શું વિક્રમનું આ કાર્ય યોગ્ય હતું ? 
રાજા ભોજ વિચારવા લાગ્યો. 
'એક આ સવાલનો જવાબ તું સાચે સાચો આપ તો તેને સિંહાસન પર હું બેસવા દઈશ. હવે ફક્ત બે પુતળી જ બાકી રહી છે. એ કાંઈ નહીં કહે.' 
રાજા ભોજ વિચારમાં પડી ગયો: શરણે આવેલા હરણની રક્ષા ન કરીને વિક્રમે ખોટુ કામ કર્યું હતું ? કર્તવ્ય એનુ શું હતું? કર્મ શું હતુ ?
રાજા ભોજ પુતળીના પ્રશ્નનો કોઈ ઉત્તર ન આપી શક્રયો. ત્યારે પુતળીએ કહ્યું-'ભલા તું આ સિંહાસન પર કઈ રીતે બેસી શકે ? ક્રમૅ અને કર્તવ્યનું પાલન ધર્મ પ્રમાણે થાય છે. ધર્મમાં જણાવ્યું છે એ રીતે મનુષ્ય પોતાનુ કર્મ તથા કર્તવ્ય નિર્ધારિત કરવું જોઈએ. એજ વાત ધ્યાનમાં રાખીને રાજા વિક્રમે એ હરણની રક્ષા ન કરી. 
'એ કઈ રીતે ?' ભોજે પૂછયું. 
‘હરણ સિંહનું ભોજન હતુ’ હરણને સિંહથી બચાવવું એટલે સિંહને ભુખ્યો રાખવો. ભુખ્યા માણસ સામેથી ભોજનની થાળી ખેંચવી એ શું ધર્મ છે? ના... એ કારણે વિક્રમે હરણની રક્ષા ન કરી ધર્મ જ કર્મ કર્તવ્યનું નિર્દેશન કરે છે. 
પોતાની વાત કહીને રૂપવતી આકાશમાં ઉડી ગઈ.


૩૧ માનવતીની વાર્તા 

કહે. રાજા ભોજ, પારકી સ્ત્રીને જે કદી કુદૃષ્ટિથી નથી જોતો. એની સાથે માનવતા દાખવે છે એજ ચરિત્રવાન કહેવાય છે. રાજના કર્મચારી આવા ચરિત્રવાન હોવા જોઈએ. જે રાજમાં આવા લોકો પદ પર નથી હોતા એ રાષ્ટ્ર ભ્રષ્ટ થઈ જાય છે. 
શું તારા રાજ કર્મચારીમાં આવા ગુણ છે ? જો હોય તો બેસ, નહીંતર નહીં બેસી શકે. સાંભળ મારૂ નામ માનવતી છે. હું તને રાજા વિક્રમની એક કથા સંભળાવું છુ. એ સાંભળીને પછી નિર્ણય કરજે કે આ સિહાસન તારે યોગ્ય છે કે નહીં? 
એક સમયની વાત છે. રાજા વિક્રમ નદી કિનારે ગયો. નદીની ધારામાં એક યુવક અને યુવતીને તણાતા જોયા કદાચ જીવ બચાવવા તેઓ
હાથ પગ પછાડતા હતા પણ નદીની તેજ ધારા સામે એમનું કાંઈ ચાલતું ન હતું. 
વિક્રમે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર નદીમાં છલાંગ લગાવી અને બન્નેને બચાવી લીધા. 
યુવતી ઘણી સુંદર હતી. એના સૌંદર્ય આગળ વિક્રમની રાણીઓ પણ ફિક્રકી હતી. નખ શિખ એનુ એકેએક અંગ કંડારેલું હતું. એવું લાગતુ હતું કે ભગવાને એને ઘણી લગનથી બનાવીને પોતાની સંપૂર્ણ કળાનું પ્રદર્શન કર્યું છે. 
યુવકે વિક્રમને ઓળખ્યા વગર જણાવ્યું-
'અમે સહ પરિવાર નાવમાં બેસી યાત્રા કરતા હતા. નાવ વમળમાં ફસાઈ અને અમે તણાયા. તમે અમને ઘણી મદદ કરી છે. તમારા કારણે અમને નવુ જીવન મળ્યું અમે તમારા આભારી છીએ. 
યુવતી પણ શ્રદ્ધાથી વિક્રમને જોઈ રહી હતી. ‘તમારો પરિચય શું છે?' વિક્રમે પૂછયું. 'મારુ નામ, દેવકાંત છે અને આ મારી બહેન દેવકાંતા છે. અમે સારંગદેશના નિવાસી છીએ.’ 
'સારુ.... તમને સકુશળ તમારા ઘેર મોકલી દેવાશે. અહીં રોકાવાનો સમગ્ર પ્રબંધ પણ થશે’
એટલું કહીને વિક્રમે એક સૈનિકને બોલાવી આદેશ દીધા. તે એ બન્નેને પોતાની સાથે લઈ ગયો. 
હવે, દેવક્રાંતને ખબર પડી કે એને અને એની બહેનને બચાવનાર બીજો કોઈ નહીં વિક્રમ પોતે છે. એ ગદગદ થઈ ગયો. 
રાજમહેલમાં તમામ સગવડો હતી. 
"દેવકાંત પોતાની બહેનના લગ્ન માટે ઘણો ચિંતિત હતો. ઘણા રાજકુમાર એની સાથે લગ્નકરવા ઉત્સુક હતા. 
હવે દેવકાંતે વિચાર્યું કે દેવકાંતાના લગ્ન વિક્રમ સાથે થાય તો ઘણું સારુ. એ બહેનને સાથે લઈને વિક્રમ પાસે ગયો. દેવકાંતાએ સોળે શણગાર સજ્યા હતા. એનું રુપ દેવલોકની અપ્સરા જેવું લાગતું હતું. જાણે ધરતીનું તમામ સૌંદર્ય એનામાં સમાઈ ગયુ હોય એમ લાગતું હતું. 
'રાજન ની જય હો’ દેવકાંત બોલ્યો. 
‘દેવકાન્ત તારા જવાનો બધો પ્રબંધ કરી દેવાયો છે.’ વિક્રમ બોલ્યો. 
તમારી ઘણું કૃપા છે અન્નદાતા… તમારા કૃપાભારનું અમે આજીવન ઋણ નહીં
ચુકવી નહીં શકીએ. મારી એક તુચ્છ ભેટ તમે ગ્રહણ કરો. મારી બહેન દેવક્રાન્તા તમને અર્પણ છે.' 
'દેવકાંતા મારા રાજ મહેલમાં રહેશે.' વિક્રમ બોલ્યો- ‘મારી બહેનના રૂપમાં એ આજીવન નિવાસ કરી શકે છે....' 
દેવક્રાંત ચોંકયો.... ફાટી આંખે જોઈ રહ્યો. દેવકાંતાના રૂપ-યૌવનને જોઈને પણ વિક્રમ ચલિત ન થયો. 
એ વિક્રમના ચરણોમાં આળોટી પડયો. 
વિક્રમે કહ્યું- 'ચરિત્ર હંમેશા જાળવી રાખવું જોઈએ. એના વગર રાજકાજ કઈ રીતે ચાલે ? હું સ્વચ્છ રહીશ તો મારા કર્મચારી અને પ્રજા પણ સ્વચ્છ રહેશે’ 
દેવકાંત વિક્રમનો જય જયકાર કરવા લાગ્યો 
હે રાજા ભોજ, 'વિક્રમ કેટલો ચરિત્રવાન હતો અને કેવો નિલોભી એ ગુણ તારામાં છે. ? 
એટલું કહી માનવતી આકાશમાં ઉડી ગઈ.

૩૨. કૌશલ્યાની વાર્તા 

બત્રીસમી પુતળી કૌશલ્યાએ રાજા ભોજને રોકીને કથા શરૂ કરી-
'એક દિવસ વિક્રમે મધરાતે એક અદ્દભુત સ્વપ્ન જોયું. સ્વપ્ન પ્રમાણે એના રાજના જ એક વનમાં એક સુવર્ણ-રત્ન જડિત સુંદર મનમોહક મહેલ છે. સ્વર્ગની અપ્સરાઓ જેવી સુંદર ગણિકા ઓ જાત જાતના વાઘયંત્ર સંભાળીને મીઠા અવાજે ગાઈ રહી છે. 
એ સુંદર ગણિકાઓ વચ્ચે એક યોગી બેઠો-બેઠો ગાયન અને સંગીતનો આનંદ ઉઠાવી રહ્યો છે. આ સ્વપ્ન જોતાં. જ વિક્રમની આંખ ખુલી ગઈ. સવાર થતાં જ એણે રાજજ્યોતિષીને બોલાવી
સ્વપ્ન વિષે જણાવ્યું. 
રાજ જ્યોતિષીની વાતો સાંભળી વિક્રમને એ મહેલ સુધી પહોંચવાની ઈચ્છા થઈ. એણે તરત વૈતાળને બોલાવી સ્વપ્ન વિષે જણાવ્યું અને એ અદ્દભુત મહેલ પાસે લઈ જવાની આજ્ઞા આપી. 
વૈતાળ વિક્રમને ઘોર અરણમાં લઈ ગયો. મહેલથી થોડે દુર વૈતાળ અટકી ગયો અને કહેવા લાગ્યો.-
'બસ આનાથી આગળ જઈ શકાશે નહીં. યોગીએ મહેલની ચારે તરફ તંત્રનો ઘેરો નાખ્યો છે. એ ઘેરાને એજ પાર કરી શકે છે જેણે યોગીથી પણ વધુ પુણ્ય અર્જિત કર્યું હોય. 
વિક્રમ પોતાના પુણ્યને પરખવા માટે આગળ વધ્યો. 
સુવર્ણનો ચમકતો દમકતો હીરા-રત્ન જડિત મહેલ દેખાવા લાગ્યો. 
વિક્રમ આગળ વધતો મહેલના દ્વારે આવ્યો. એકાએક આગનો એક મોટો ગોળો વિક્રમ, પાસે આવ્યો. એ થોડો ગભરાયો અને પાછળ હટયો ત્યાંજ એક અવાજ ગુંજ્યો-
‘એને જવા દે. એનું પુણ્ય યોગીથી વધુ છે. આપણે એને રોકવાનો નથી.’ 
આગના ગોળાએ માર્ગ આપી દીધો. 
કોઈ મનુષ્યના આગમનનો અવાજ સાંભળી ગાયન, સંગીત, નૃત્ય અટકી ગયા. સુંદરીઓ ગભરાઈને આમ તેમ ભાગવા લાગી. 
યોગી એકદમ ક્રોધિત થઈ ગયો-
'કોણ છે તું? તને કોણે અહીં સુધી આવવા દીધો? જલ્દી બોલ નહીંતર હું મારા શ્રાપથી તને ભસ્મ કરી દઈશ....' 
“હું વિક્રમ છું. મને કોઈએ ન રોક્યો એટલે અહીં સુધી આવી ગયો. તમારા દર્શનની ઉત્સુકતા હતી.' 
આ સાંભળતાં જ યોગીનો કોધ ઓગળી ગયો. નમ્ર ભાવે વિક્રમનો સત્કાર કરતા પૂછયુ-
‘બોલો રાજન્ શું જોઈએ છે? માગો એ મળશે. 
‘હું આ મહેલ અને અહીંની બધી સુખ-સગવડો માગુ છું. ‘વિક્રમે કહ્યું. 
યોગી એજ વખતે બધું સોંપી વનમાં ચાલ્યો ગયો અને વનમાં ભટકતો રહ્યો. ઘણા સમય પછી એના ગુરૂ મળ્યા. યોગીને ભટકતો જોઈ ગુરુએ કારણ પૂછયું. યોગીએ બધી વાત કરી તો
ગુરુ હસીને બોલ્યા-
“એ તો. આ પૃથ્વીનો સૌથી મોટો દાનવીર છે. એને તારા મહેલનું શું કામ?' જઈને જો. એ પોતાના રાજમહેલમાં બેઠો બેઠો કારભાર સંભાળતો હશે. તું પાછો જા.... બ્રાહ્મણનું રૂપ લઈને જા. રાજા પાસે, એના રાજમાં ઝુંપડી બનાવવા જેટલી જગ્યા માગ. રાજા જ્યારે તારી પસંદની જગ્યા પૂછે તો એજ મહેલ માગી લેજે.’ 
ગુરુની સલાહ માની એ યોગી વિક્રમના રાજમાં આવ્યો. રાજા મહેલમાં બેસી રાજભાર સંભાળે છે. એ જાણી ખુશ થયો. પછી બ્રાહ્મણનું રૂપ ધરી વિક્રમ પાસે પોતાનો મહેલ માગ્યો.’ 
વિક્રમે હસીને કહ્યું-
‘મેં તમારી પરીક્ષા લીધી હતી. તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો યોગીરાજ! અરે હું તો એજ દિવસે મહેલ છોડીને આવી ગયો હતો. 
જઈને તમારુ સ્થાન સંભાળો.’ 
પોતાનો મહેલ મળતા યોગી ખુશ થયો. 
હે રાજા ભોજ, વીર વિક્રમના કર્મ અને ત્યાગની કથા સાંભળી ? આવો કીંમતી મહેલ મેળવ્યો અને ક્ષણવારમાં ત્યાગી દીધો. 
હે રાજા ભોજ, વિક્રમને પોતાના મૃત્યુની જાણ થઈ ગઈ હતી એટલે એણે ખૂબ દાન-પુણ્ય કરી રાજ પાટનો મોહ છોડી પૂજા-પાઠમાં મન લગાવ્યું દેવતાઓ પણ વિક્રેમ પાસે દાન લેવા આવતા. 
હે રાજા ભોજ તું યશસ્વી રાજા છે. ધનનું પુણ્ય તે પણ અર્જિત કર્યું છે એટલે જ તને આ સિંહાસનના દર્શન થયા. હવે મારી સલાહ સાંભળ આ સિંહાસન જ્યાંથી તે કઢાવ્યું છે ત્યાંજ ભુમિગત કરાવી, દે. 
પોતાની વાત પુરી કરીને એ પુતળી પણ આસમાનમાં ઉડી ગઈ. 
પુરી બત્રીસ પુતળીઓ સિંહાસનમાંથી નિકળી  ગઈ હતી. હવે એક પણ પુતળી રહી ન હતી. સિંહાસન કાંઈક, ફિકકું થઈ ગયું હતું પણ ચમક જળવાઈ રહી હતી.

33 ખાલી સિંહાસનની વાર્તા 

અંતિમ પુતળી સિંહાસનમાં થી નીકળી ગયા પછી રાજા ભોજ રાહતનો શ્વાસ લીધો. વિચાર્યું કે હવે કોઈ નહીં રોકે. 
પંડિતો એ સિંહાસન ની પૂજા કરી પછી ભોજ આગળ વધ્યો. ત્યાંજ ધરતીકંપ થયો હોય એમ સિંહાસન ડોલવા લાગ્યું. 
ભોજ પાછળ હટી ગયો અને પ્રધાન સામે જોવા લાગ્યો તો પ્રધાન ધીરેથી બોલ્યો-'ક્ષમા કરે રાજનુ આ સિંહાસન પર બેસવાનું સુખ તમારા ભાગ્યમાં નથી.’ 
રાજા ભોજ ઉદાસ થઈ જતા બોલ્યો- 'તો આનું શું કરવું ?” 
એને શાહી ખજાનામાં મુકાવી દો. હીરા ઝવેરાત તો જડેલા જ છે.’ 
રાજા ભોજે સિંહાસન ખજાનામાં મુકાવી દીધુ. એજ રાતે ઉંઘમાં રાજાએ એક સ્વપ્ન જોયું સ્વપ્નમાં એક સાધુએ આજ્ઞા આપી-'હે રાજા આ સિંહાસન  તે જ્યાંથી કાઢ્યું છે ત્યાં જ દફનાવી દે’ એમાંજ  તારી ભલાઈ છે.' 
બીજા દિવસે રાજા ભોજે સિંહાસનને શાહી ખજાનામાંથી કઢાવીને એજ જગ્યા એ દફનાવી દીધુ. આ વાત ચારે દિશામાં ફેલાઈ ગઈ.
કેટલાક ચોરોને આની ખબર પડી. 
ચાર ચોરે ટેકરો ખોદીને સિંહાસન કાઢયુ અને જંગલમાં લઈ ગયા. એ રાતના અંધકારમાં ચમકતું હતું. ચોરોના મોં માં પાણી આવતું હતું. ચોરોએ હથોડાના ઘા કર્યો ત્યાં તો સિંહાસન માંથી આગ નીકળી. 
ચોર સમજી ગયા કે આ સિંહાસન તુટશે નહી. 
ચારે ચાર વિચારમાં પડી ગયા. આખુ સિંહાસન કોણ ખરીદે ? 
આખરે ચારે ચોરે સિંહાસનને હાથી પર મુકી ઢાંકી દીધું અને ઝવેરીનો વેષ ધારણ કરી શ્રાવસ્તી નગરી તરફ પ્રયાણ કર્યું. છ મહીને શ્રાવસ્તી પહોંચ્યા રાજાના અતિથિગૃહમાં ઉતર્યાં. શ્રાવસ્તી નરેશને મળવાનું આવેદન કર્યું. 
રજા મળી ગઈ. 
ચારેય શ્રાવસ્તી નરેશ સામે આવ્યા. 
'અન્નદાતાનો જય હો....’ 
'વેપારીઓ તમારૂ સ્વાગત છે. મારા માટે શું લાવ્યા છો ?’ 
ચોરનો મુખી અત્યંત આદર અને શ્રધ્ધાથી - બોલ્યો-- 'હે રાજનૂ અમે તમારા માટે એક અત્યંત સુંદર સિંહાસન લાવ્યા છીએ. અમે ચારેએ મળીને અમૂલ્ય દુર્લભ રત્ન જડીને કેટલાય વર્ષોની મહેનત પછી બનાવ્યું છે. તમારા જેવા રાજા માટે જ અમે એનું નિર્માણ કર્યું છે.’
શ્રાવસ્તી નરેશે સિંહાસન જોયું જોતાં જ આભો બની ગયો. અને મોં માગ્યા દામ આપવા તૈયાર થયો. પચાસ લાખ સોનામહોર આપી એ સિંહાસન ખરીદી લીધું. ચોર ચાલ્યા ગયા. સોના-મહોરના ભાગ પાડી ચારે ચોર છુટા પડી ગયા. 
આ બાજુ શ્રાવસ્તી નરેશે મૂહુર્ત જોવડાવી ધામધુમથી સિંહાસન પર બેસવાની તૈયારી કરી." યોગ્ય સમયે તેઓ સિંહાસન પર આરુઢ થયા. 
શ્રાવસ્તી નરેશનું સિંહાસન ચર્ચાનો વિષય બની ગયું જ્યારે રાજા ભોજને ખબર પડી તો ટીંબો ખોદાવ્યો. સિંહાસન ન હતુ. એને ખાત્રી થઈ ગઈ કે એ સિંહાસન એમનું જ છે. પણ શ્રાવસ્તી નરેશ કઈ રીતે બેસી શકશે? આશ્ચર્ય સાથે દુઃખ પણ થયું. જ્યોતિષિઓને પૂછયું — 
બધા વિચાર કરીને બોલ્યા-
“રાજન સિંહાસન વેચાઈ ગયું એટલે એનો બધો ચમત્કાર ચાલ્યો ગયો. સિંહાસન પણ સોનાના બદલે પીત્તળનું થઈ ગયું છે. હીરા ઝવેરાત પણ સાધારણ પથ્થર થઈ ગયા છે. 
રાજા ભોજને આ વાતથી સંતોષ થયો. 
આ બાજુ શ્રાવસ્તી નરેશ જ્યારે સિંહાસન પર બેસવા લાગ્યા ત્યારે સિંહાસનની ચમક થોડાક જ દિવસમાં ફીકકી પડી ગઈ. હીરા ઝવે રાત પણ આભાહીન થઇ ગયા.
શ્રાવસ્તી નરેશ આ ચમત્કારથી ચક્રિત થઈ ગયા. પૂરી પરખ પછી જ સિંહાસન ખરીદાયું હતું. તો પછી આવુ બન્યુ કેમ ? 
જ્યોતિષી બોલ્યા-
'રાજન્ આ સિંહાસનનું સત્વ ચાલ્યું ગયું. આ રાજા વિક્રમનું સિંહાસન છે. અપવિત્ર થઈ ગયું છે. એના અંતિમ સંસ્કાર કરો. 
શ્રાવસ્તી નરેશે સિંહાસનને જળ સમાધિ આપી દીધી. 
કાવેરી નદીમાં અર્પિત કરી દેવાયેલા આ સિંહાસનની શોધ કરવાના ઘણા રાજાએ પ્રયાસ કર્યા પણ આજ સુધી નથી મળ્યું. પવિત્ર કાવે રીની ગોદમાં કદાચ આજ પણ સુતુ હશે. 
一: સમાપ્ત :-

પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@


સિંહાસન બત્રીસી ભાગ-21-22-23-24-25-26 । બત્રીસ પુતળી ની વાર્તા | વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | 21-22-23-24-25-26 પુતળીની વાર્તા Sinhasan battisi episode-21-22-23-24-25-26 | Sihasan batrisi

૨૧. અનુવતીની વાર્તા 

'હે રાજા ભોજ, જ્ઞાન અને વિદ્યતાના વધુ પડતા પ્રદર્શનથી સંકટ આવે છે એ वात तु જાણે છે ? રાજા વિક્રમે આ વાત સમજીને માધવને સુખદ જીવન આપ્યુ. તારામાં આવો ગુણુ છે ? હું અનુવતી તને વિક્રમની એક વાત કહું છું. 
માધવ નામનો અત્યંત મેઘાવી અને સર્વકળા પારંગત યુવાન હતો. સંસારના બધા વિષયને એ જ્ઞાતા હતો. સાથે સાથે એ અદભુત કલાપારખુ અને અત્યંત સ્પષ્ટવકતા હતો. નિભીંક હતો. તેથી જ્યાં જતો ત્યાં જ્ઞાન-આદર પામતો પણ થોડા સમય પછી સ્વભાવના કારણે એને હાંકી કઢાતો. એ એક જગ્યાએ ટકી ન શકતો.
માધવ ભટકતો રહેતો. ખુબ જ્ઞાન મેળવ્યા પછી અપમાનિત થતો. 
વિશાલ નરેશે પણ માધવને પોતાના રાજમાંથી કાઢી મુક્યો. નિરાશ માધવ ત્યાંથી મલયદેશના રાજમહેલમાં ગયો અને દ્વારપાળને 
કહે
'તું રાજાને સુચના આપ કે મહાપંડિત માધવ દર્શન કરવા ઇચ્છે છે.’ 
રોકાવુ પડશે. અત્યારે મહારાજા નર્તકીનું નૃત્ય જોઈ રહ્યા છે.” 
માધવ ત્યાંજ બેસી ગયો. 
નૃત્ય પૂરા યૌવન પર હતુ. મૃદંગ તથા અન્ય વાદ્ય પૂરા જોશ પર હતા. રાજા કામસેન અને આખો દરબાર ડોલતો હતો. 
એકાએક માધવ - તમતમી ઉઠતા બોલ્યો-
‘કેવા મૂર્ખ અજ્ઞાની માણસો છે અહીં. એક સાજિન્દો દોષપુર્ણ વાદન કરી રહ્યો છે. પકડી નથી શકતા. મહેફિલમાં બધા ગધેડા છે.’ 
દ્વારપાળ ચોકી ઉઠતા બલ્યો-'શું બકે છે ?'
'બકતો નથી સાચુ બોલુ છું. આ સભામાં એક પણ કલા પારખુ નથી બેઠો. બધા ગધેડા છે.’ 
'ચુપ રહે નહીંતર ધડથી માથુ જુદુ થઈ જશે. અમારા મહારાજ કામસેન જેવો કલા પારખુ બીજો નથી.’ 
માધવ વધુ સમસમી ગયો-
‘શું ધુળ કલા પારખુ છે ? સાજિંદાનો દોષ નથી પકડી શકતા. સોળ સાજિન્દા ચાર ચારની ટુકડીમાં બેઠા છે. પુર્વ દિશામાં જે ટુકડી છે એમાં કોઈ એક સાજિન્દો દોષ પુણં વાદન કરી રહ્યો છે.” 
દ્વારપાળને નવાઈ લાગી. માધવ જે જગ્યાએ ઉભો હતો ત્યાંથી સભાની એક ઝલક પણ દેખાતી ન હતી. જોયા વગર માત્ર અવાજના આધાર પર એણે કઈ રીતે આ વાત કહી દીધી ! 
‘ગધેડા, બેવકૂફ છે બધા' માધવ જોરથી બબડયો. 
'ચુપ રહે વધુ બકવાસ કરીશ તો માયો જઇશ.’ 
જા જા તારા રાજાને કહી દે. મારી વાત ખોટી હોય તો ઘડથી માથુ જુદુ કરે.' માધવ બોલ્યો.
‘સારૂથોભ' કહીને દ્વારપાળ અંદર ચાલ્યો ગયો... 
નૃત્ય નો એક દોર પુરો થયો ત્યારે એણે મલય નરેશને બધું જણાવી દીધું. સાંભળીને મલય નરેશે ત્રાડ પાડી-
‘એ બેવકૂફને પકડીને મારી સામે લાવો’ 
દ્વારપાળ માધવને પોતાની સાથે સભામાં લઈ ગયો. 
'કેમ?' મલય નરેશે ક્રોધથી પૂછયું શું બકતો હતો ?' 
માધવ નમ્રતાથી બોલ્યો- ‘મેં જે કાંઈ કહ્યું છે અન્નદાતા એકદમ સાચુ કહ્યું છે. એક તબલચીનો અંગુઠો નથી. 
'વાત ખોટી નિકળી તો ?’ 
'તો માથુ વાઢી લેજો’ 
મલય નરેશે બધા તબલચીઓને જોયા. બધાના અંગુઠા ધ્યાનથી જોયા એક તબલચીનો અંગુઠો નકલી હતો. એણે પોતાનું માથુ ઝુકાવી લીધું. 
માધવ હસી પડયો. 
મલય નરેશ ભોંઠા પડી જતા બોલ્યા-"વાસ્તવ--માં તું ગુણી માણસ છે. શું નામ છે તારૂ ?'
માધવે પોતાનો પરિચય આપ્યો. મલય નરેશે એને પોતાના રાજમાં રાખી લીધો. માધવ સુખે રહેવા લાગ્યો. પોતાની વિધ્યાનું પ્રદર્શન કરી માધવે ઘણું માન મેળવ્યું. માધવના સુખના દિવસ આવ્યા પણ એ પોતાના સ્વભાવના કારણે વિવશ હતો. 
એક દિવસ દરબારમાં અત્યંત કુશળ નર્તકી આવી. નર્તકી અત્યંત નિપુણ હોવાની સાથે અત્યંત સુંદર પણ હતી. 
માધવ મુગ્ધ થઈ ગયો. 
એકાએક ન જાણે ક્યાંથી એક ભ્રમર આવ્યો અને એના વક્ષ:સ્થળ પર બેસી ગયો. 
એ ગભરાઈ ગઈ. નૃત્ય રોકવું કઈ રીતે ?-રંગમાં ભંગ પડે એટલે એણે ઉંડો શ્વાસ લઈ પોતાના નાકેથી એ રીતે છોડયો કે ભ્રમર ઉડી ગયો. એક ક્ષણ માટે પણ નૃત્ય ન અટક્યું. આ બધું પાંપણના પલકારે થઈ ગયું. મલય નરેશ ન જોઈ શકયા. પણ માધવ જોઈ ગયો એણે તત્કાળ પોતાના સ્થાનેથી ઉઠીને મોતીની માળા નર્તકીને આપી દીધી. 
દરબારી દંગ થઈ ગયા. 
માધવની આતે કેવી અશિષ્ટતા મહારાજની સામે...
મલયનરેશ ગર્જી ઊઠયા, નૃત્ય બંધ થઈ ગયું. માધવ તે મારા પહેલા નર્તકીને ભેટ આપવાની હિંમત કઈ રીતે કરી ?' 
માધવે જણાવ્યું કે કઈ રીતે નર્તકીના વક્ષ પર ભ્રમર આવીને બેસી ગયો હતો અને નૃત્ય રોક્યા વગર કેવા કૌશલથી એણે ભગાડયો. એ મુગ્ધ થઈ ગયો. આ દૃશ્ય મલય નરેશ જોઈ શક્યા નહી. નર્તકી માધવના આ ગુણ પર મોહિત થઈ ગઈ. પણ મલય નરેશે માધવને હાંકી કાઢયો. 'નર્તકી માધવને આશ્રય આપવા ઈચ્છતી હતી પણ રાજાજ્ઞાના કારણે વિવશ થઈ ગઈ. 
માધવ વ્યાકુળ થઈ ગયો. રાતે ઉંઘ ન આવતી. જ્યાં - નજર પડે ત્યાં નર્તકી દેખાતી. નર્તકીના પ્રેમમાં વ્યાકુળ માધવ ભુખ્યો-તરસ્યો દુર્બળ અવસ્થામાં રાજા વિક્રમના દરબારમાં આવ્યો. 
વિક્રમે એને સહારો આપ્યો. 
નર્તકી સાથે એનો પ્રેમ જોઈ માધવ નરેશને અનુરોધ કરી એના લગ્ન કરાવી દીધા. 
માધવ પોતાના જીવનના અંતિમ સમય સુધી વિક્રમ પાસે રહ્યો. વિક્રમનો પ્રતાપ એવો હતો કે એ કાંઈ જ બેઅદબી ન કરી શક્યો. 
રાજા ભોજ ! જો તારામાં આ જાતનો ગુણ છે તો આ સિંહાસન પર અવશ્ય બેસ નહીં તર એના પર બેસવાનો તને કોઈ અધિકાર નથી. 
પોતાની વાત કહીને અનુવતી આકાશમાં ઉડી ગઈ.

રર. અનૂપરેખાની વાર્તા 

'થોભ રાજા ભોજ' અનૂપરેખા નામની પુતળી બોલી-જન્મ રાજકુળમાં થવા માત્રથી જ તું આ સિંહાસન પર બેસવાનો અધિકારી નથી બની જતો. હું તને વિક્રમની એક કથા કહું છું એ તું સાંભળ. 
રાજા 'સત્યપાલના અવસાન પછી એનો પુત્ર યશપાલ રાજા બન્યો. પરંપરા પ્રમાણે એનું રાજતિલક કરાયુ. રાજા બનતાં જ એ પ્રજા પર જુલમ કરવા લાગ્યો ભોગ વિલાસમાં ડુબી ગયો. પિતાનો એક પણ ગુણ એનામાં ન હતો. એની ચર્ચા વિક્રમના દરબારમાં થવા લાગી. 
'ઘણો પાપી રાજા ગાદી પર બેસી ગયો છે.કેયાં પિતાં. ક્યાં પુત્ર !' 
‘પરંપરાથી એજ રાજા હતો. એટલે બની ગયો. આ રાજકુળની રીત છે.” 
“આ ખોટી વાત છે. નિયમથી રાજા એને જ બનવું જોઈએ જેનામાં રાજાના ગુણ હોય.' 
'શું રાજા બનવા માટે. યોગ્ય વ્યક્તિ રાજ-કુળનો જ હોય એ જરૂરી છે?' બીજાએ પ્રશ્ન કર્યો. 
‘નિયમ તો એવો છે રાજકુળનો.’ 
'અને રાજા પાપી હોય તો ?' 
દરબારીઓ ચર્ચા કરવા લાગ્યા. એજ વખતે રાજા વિક્રમ પધાર્યા એટલે દરબારી પુછવા લાગ્યા. 
વ્યકિતનું કુળ મોટું કે ગુણ ?' 
જવાબમાં વિક્રમ બોલ્યા. 
'આ વાત પ્રત્યક્ષ જોવી જોઈએ કે સિંહનું બચ્ચુ સિંહ નીકળે કે બકરી ? યોગ્ય બાપનો બેટો યોગ્ય જ હોય એ શું જરુરી છે. ?' 
બધા સહમત થયા. 
વિક્રમે એક સિંહનું બચ્ચું ભરવાડને આપીને આજ્ઞા કરીને આને રોજ બકરી સાથે લઈ જા. 
આમ સિંહનું બચ્ચુ બકરીઓ સાથે જવા લાગ્યું . ઘણો સમય વીતી ગયો. એક દિવસ વિક્રમે એક સિંહ મંગાવ્યો. સિંહને બકરીના ટોળા સામે ઉભો રાખ્યો. ટોળામાં સિંહનું બચ્ચુ પણ હતું. જેવી સિંહે ત્રાડ પાડી કે તરત બકરીઓ ભાગી સાથે સિંહનું બચ્ચુ પણ ભાગ્યું. 
વિક્રમ બોલ્યો- ‘જોયું યોગ્ય બાપનો બેટો ત્યાં સુધી યોગ્ય નથી બની શકતાં જયાં સુધી એનું પાલન પોષણ એવું ન થાય. વાતાવરણનો પ્રભાવ પડે છે. સિંહનું બચુ બકરીઓ સાથે રહીને બકરી બની ગયું. એ સિંહનું બચ્ચું છે એ સત્ય જ ભુલી ગયું. એનામાં સિંહનો કોઈ ગુણ ન રહ્યો. માટે કોઈપણ વ્યક્રિત કુળ થી નહીં કર્મ અને ગુણ થી મહાન બને છે.

૨૩. કરૂણાવતીની વાર્તા 
 
'હે રાજા ભોજ પ્રત્યેક મનુષ્ય પોતાના પૂર્વ-જન્મના કર્મોનું ફળ વર્તમાન જીવનમાં મેળવે છે. શું તું તારા પૂર્વજન્મના કર્મ જાણે છે ? એના પરિણામે આ સિંહાસન પર બેસી શકે છે ? 
મારી આ વાત પર વિચાર કરજે અને પછી આ . સિંહાસન પર બેસવાની ઈચ્છા પૂરી કરજે. 
મારૂ નામ કરૂણાવતી છે. સાંભળ હું રાજા વિક્રમની કથા સંભળાવું છું. 
એક દિવસ વિક્રમને વિચાર આવ્યો કે એના દરબારી એના વિષે શું વિચારે છે એ જાણવું. આ જાણવા માટે વિક્રમ છુપી રીતે દરબારીના ઘેર જવા લાગ્યો અને વાતો સાંભળવા લાગ્યો.
એક દિવસ એ પ્રધાનના ઘરમાં ગયો. ત્યાં પ્રધાનની પત્ની કહેતી હતી. 
'તમે એટલો બધો સમય રાજા સાથે રહે છો કે ઘરનો ખ્યાલ જ નથી રાખતા.' 
‘રાજકાજ સંળાળવું એ સામાન્ય વાત નથી' પ્રધાન બોલ્યો, 
‘હંમેશા રાજાની ખુશામદ કરતા હશો.’ 
‘રાજાની હા એ હા તો કરવી જ પડે....' 
‘રાજાનું શું ઠેકાણું ? ક્યારે શું કરી બેસે ? રાજા કદી કોઈનો નથી થાતો.” 
'પણ આપણા રાજા વિક્રમ એવા નથી’ 
પત્ની હસવા લાગી- 'હા પોતાના સગા ભાઈની હત્યા કરીને ગાદી પર બેઠા છે. વિચાર કરો જે માણસ પોતાના ભાઈની હત્યા કરી શકે છે એ શું ન કરી શકે.’ 
પ્રધાન ધીરેથી બોલ્યો- 'તારી વાત તો સાચી છે...!' 
વિક્રમ આ વાત સાંભળી ચુપચાપ પાછો ફર્યો. બીજા દિવસે પ્રધાનને કાંઈ કહ્યા વગર પદ પરથી ? મુકત કરી દીધો' પ્રધાનને નવાઈ લાગી. સમજાતું ન
હતું કે એકાએક રાજા એ એને શા માટે હટાવી દીધો ? રાજાના આવા વર્તનથી દરબારી પણ ચકિત થયા. કોઈનામાં એનું કારણ પૂછવાની હીંમત ન હતી. 
પ્રધાન સમય પસાર કરવા માટે નદી કાંઠે જઈ પૂજા-પાઠ કરતો. 
એક દિવસ સંધ્યાકાળે એ તટ પર પૂજા-પાઠ કરી રહ્યો હતો. 
અચાનક નદીમાં એક અત્યંત સુંદર કુલ તરતુ દેખાયું. પ્રધાને ફૂલ લઈ લીધું. એ એના રૂપ રંગ પર મુગ્ધ થઈ ગયો. એણે આજ સુધી આવુ ફૂલ કદી જોયું ન હતું. 
એ વિચારવા લાગ્યો કે આ કુલ રાજાને ભેટ આપવું. કંદાચ રાજા ખુશ થઈને પદ પાછું આપી દે. 
એ વિક્રમ પાસે ગયો. પ્રણામ કરીને ફૂલ આપ્યુ. 
ઘણું સુંદર ફૂલ છે. અદ્ભુત પણ છે. તને ક્યાં થી મળ્યું ?' વિક્રમે પૂછયું. 
'રાજન આ નદીમાં તણાતું હતું.' 
'સારૂ તું એમ કર આ ફૂલ ક્યાંથી આવ્યું? ક્યાં ઉગે છે ? એ જાણી લાવ વિક્રમે આજ્ઞા કરી 
પ્રધાન તો ઉલ માંથી ચુલમાં પડયો. તો પણ હિંમત હાર્યા વગર જે દિશામાંથી કુલ આવ્યું હતું એ દિશામાં નાવ દ્રારા શોધમાં નિકળી ગયો. કેટલાય દિવસ સુધી લગાતાર યાત્રા કર્યા પછી પણ એને એ કુલના છોડ ક્યાંય ન દેખાયા. તો પણ એણે પોતાની યાત્રા ચાલુ રાખી. આખરે એ નદીના ઉદગમ સ્થળ સુધી પહોંચી ગયો. 
ત્યાં નાવમાંથી ઉતરીને શોધ શરુ કરી. 
એકાએક એ ચોંકી ગયો. એક વૃક્ષ સાથે એક માણસ ઉંધો લટકતો હતો. એની આસપાસ બીજા વીસ જણા ઊંધા લટકતા હતા. ત્યાં જ એણે એક ચમત્કાર જોયો. પહેલા માણસના મોં માથી લોહી ટપકતું હતું. પાણીમાં પડતાં જ એ લોહી કુલ બનીને તણાવા લાગતું. 
ડરતો ડરતો એ વૃક્ષ પાસે ગયો. ઊંધા લટકતા માણસને ધ્યાનથી જોયો.- અરે આ તો રાજા વિક્રમ અને અહીં....! આશ્ચર્યથી આંખો ફાટી ગઈ. વિશ્વાસ આવતો ન હતો. પછી એણે બીજા લોકોને જોયા. બધા દરબારી હતા. રાજ પુરોહિતને તો એણે તરત ઓળખી લીધો.પછી પ્રધાન પાછા ફર્યાં. આખુ વાતાવરણ એને ભયાનક લાગતું હતું. સાંય સાંય કરતી હવા અને ઉંઘા લટકતા માણસો ના શ્વાસ.... 
એ ચકિત હતો પણ ખુશ હતો. 
એને કુલના ઉદ્દગમ અને ઉત્પત્તિની જાણ થઈ ગઈ. 
નદી યાત્રા સંમાપ્ત કરી એ પાછો આવી ગયો અને પ્રસન્નતાથી એણે વિક્રમને બધી વાત કરી. 
આ સાંભળીને વિક્રમ હસ્યો-“પહેલો લટકત માણસ હું હતો. એ મારો પૂર્વજન્મ છે. એની તપસ્યાના પરિણામે મેં રાજપદ, યશ, માન 'પ્રાપ્ત કર્યા છે. બાકીના મારા આ વીસ દરબારી છે. તારી પત્ની કહેતી હતી કે મેં મારા ભાઈની હત્યા કરીને રાજય મેળવ્યું છે. એટલે મેં તને પ્રધાનપદ પરથી દુર કરી આ દશ્ય દેખાડયું છે. સમજ્યા વિચાર્યા , વગર કોઈ પર આરોપ મુકવો એ ઠીક ન ગણાય. 
પ્રધાન ચુપ થઈ ગયો. 
'હવે તું પ્રધાનપદ સંભાળી લે' વિક્રમે કહ્યું. હે રાજા ભોજ પ્રધાન વિક્રમનો જય જયકાર
કરવા લાગ્યો આવો હતો. વિક્રમ પોતાના પુર્વ જન્મના સંસ્કારોના કારણે એ આવો તપસ્વી સમ્રાટ બન્યો હતો. તારામાં આવો કોઈ એક પણ ગુણ છે તો આ સિંહાસન પર બેસ..... 
આટલુ કહીને પુતળી, આકાશમાં ઉડી ગઈ.

૨૪. જયલક્ષ્મીની વાર્તા 

રાજા ભોજે સિંહાસન પર બેસવાની તૈયારી કરી ત્યાંજ જયલક્ષ્મી નામની પુતળી બોલી ઉઠી. 
'હે રાજા મારી વાત સાંભળ્યા પછી જ આ સિંહાસન પર બેસવાનો વિચાર કરજે.’ 
ચારણગઢમાં એક ભાટ રહેતો હતો. પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો ધંધો કરતો લોકોના ગુણગાન ગાઈ એમની પાસેથી ધન પ્રાપ્ત કરી પોતાનું ગુજરાન ચલાવતો. જે મળે એ ખાઈ પીને એજ દિવસ ખત્મ કરી નાંખતો અને બીજી સવારે ખાલી હાથે નીકળી પડતો. એના આ વ્યવહારથી એની પત્ની અત્યંત દુઃખી રહેતી. એ બીજા દિવસ માટે એક પણ પૈસો ન બચવા દેતો. બધું વાપરી નાખ્યા
પછી કહેતો ‘જેણે મોઢુ આપ્યું છે એ ખાવાનું પણ આપશે.’ 
ભાટની પત્ની ઘણી દુઃખી રહેતી. 
એની એક બેટી હતી. બેટી જવાન થતી જતી હતી. ચિંતા એ વાતની સત્તાવતી હતી કે બેટીના લગ્ન કઈ રીતે થશે? ભાટને એની ચિંતા ન હતી. 
સમય વીતતો ગયો. ભાટનું વર્તન ન બદલાયુ. બેટી વિવાહ લાયક થઈ ગઈ. ભાટની પત્નીએ રડી રડીને કહેવાનું શરૂ કર્યું-
'બેટીના લગ્નની ચિંતા તો કરો. જે કમાવ છો એ બધું ખાઈ જાવ છો. કઈ રીતે થશે લગ્ન?’ 
‘ચિંતા. ન કરો એ પણ થઈ જશે.’ 
'પણ કાંઈક તો કરો. ક્યાં સુધી જવાન બેટીને ઘરમાં કુંવારી બેસાડશો ?’ 
ખુબ કહ્યા પછી ભાટ પર અસર થઈ. એ બેટીના લગ્ન માટે પૈસા મેળવવા નિકળી પડયો. કેટલાય રાજ્યમાં ગયો દાનવીર શેઠની મદદ મેળવી. પણ જ્યારે ત્રણ ચાર મહીના પછી પાછો ફર્યો ત્યારે રસ્તામાં બધું ખાઈ-પીને ખત્મ કરી નાખ્યું.
ખાલી હાથે પાછો આવ્યો. 
પત્નીએ પૂછ્યું'શું' લાવ્યા ?' 
ભાટે બધો હિસાબ આપી દીધો. કોની પાસેથી શું શું માગ્યુ અને છેલ્લે કહ્યું-' રસ્તામાં ખાઈ પીને બધું બરાબર થઈ ગયું. કાંઈ ન બચ્યું. 
ભાટની પત્નીએ લમણે હાથ દીધો-હે ભગવાન હવે શું થશે ? 
‘ગભરાઈશ નહી' ભાટ બોલ્યો-'હજુ એક મહા દાની રાજા વિક્રમ છે. એની પાસે તો ગયો જ નથી. એ એકવારમાં એટલુ ધન આપશે કે લગ્ન થઈ જશે.’ 
ભાટની પત્ની કાંઈ ન બોલી. 
ભાટ વિક્રમના દરબારમાં આવ્યો અને પોતાની ગરીબીનું વર્ણન કરી મદદ માગી. તે વિક્રમ બોલ્યો-
'પ્રધાનજી, તમે તમારી કન્યાના લગ્ન જેટલું ખર્ચ આ ભાટને આપી દો. 
ભાટ પ્રસન્ન થઈ ગયો પણ નમ્રતાથી બોલ્યો-અન્નદાતા એક પ્રાર્થના છે. તમે આ દાન તમારા હાથે આપવાની કૃપા કરો.’ 
વિક્રમે એને પોતાના હાથે દશ લાખ સોના-મહોર આપી પછી પુછયું- એ જણાવ તે મારા હાથે લેવાની જીદ શા માટે કરી ?' 
'મહારાજ તમે પ્રધાનજીને કહ્યુ કે તમારી બેટીના લગ્ન જેટલું ધન આપી દો. પ્રધાન પોતાની હસિયતથી આપત. એટલે તમારા હાથે લીધુ. તમે તમારી હેસિયતથી આપો. એજ બન્યુ બધા માણસોની વિચારવાની, કામ કરવાની, વ્યવહારની પોતાની રીત હોય છે. ભાટ હોવાના કારણે હું આ વાત જાણું છું.' 
વિક્રમ ઘણો પ્રસન્ન થયો છતાં એણે ભાટની પાછળ ગુપ્ત ચરોને મોકલ્યા. જેથી જાણ થાય કે ભાટ એ ધનનુ શું કરે છે. 
ભાટે ધામધૂમથી બેટીના લગ્ન કર્યા. બધુ દાન વાપરી નાંખ્યું. એક પૈસો પણ ન બચાવ્યો. બેટી વિદાય થઈ. ત્યારે ભાટ પાસે બીજા દિવસે ખાવા પણ ન હતું. એ ફરી કમાવા નિકળી ગયો. 
વિક્રમને ખબર પડી. એણે પ્રસન્ન થઈને પાંચ ગામ ભેટ આપ્યા. જેથી એનું ગુજરાન ચાલે. 
'હે રાજા ભોજ, આવો હતો રાજા વિક્રમ...-તારામાં આવી યોગ્યતા છે. ? 
આટલુ કહીને જયલક્ષ્મી આકાશમાં ઉડી ગઈ.


૨૫. કૌતુક રેખાની વાર્તા 

કૌતુક રેખા નામની પુતળી એ રાજા ભોજને વિક્રમની કથા સંભળાવતા કહ્યું 'એક દિવસ રાજા વિક્રમ વેશપલટો કરી દિવસના સમયે નગરચર્ચા જોવા નિકળ્યો. ફરતો ફરતો એ ક્ષિપ્રા નદીના કાંઠે આવ્યો. ત્યાં લોકો સ્નાન કરતા હતા. યુવક-યુવતિઓ અને બાળકો નદીમાં તરતા હતા. 
અચાનક એની નજર એક યુવક પર પડી. 
એક યુવતી એની સાથે તરી રહી હતી પણ બન્ને એક બીજાને જોઈ જોઈને હસતા હતા એમની આંખો અને હાવભાવથી સ્પષ્ટ હતું. કે બન્ને પ્રેમાલાપ કરી રહ્યા છે. બન્નેનું વર્તન જોઈ વિક્રમને એટલો વિશ્વાસ તો થઈ ગયો કે એ બન્ને પતિ પત્ની નથી. યુવતી ઘણી સુંદર હતી. યુવક પણ આકર્ષક હતો. 
બન્ને ઘણા સમય સુધી તરતા રહ્યા અને પ્રેમાલાપ કરતા રહ્યા. 
પછી બહાર આવ્યા. 
સાથે સાથે ચાલતા થયા. 
રાજા વિક્રમ એમની પાછળ ચાાલતો રહ્યો. 
આગળ જતા યુવતી બીજા રસ્તે ચાલી ગઈ. યુવક જોતો રહ્યો. જયારે એ ઓઝલ થઈ ગઈ ત્યારે યુવક ઠંડી આહ ભરી આગળ વધી ગયો. 
વિક્રમે એક સૈનિકને એ યુવકને પકડીને દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સૈનિક યુવકને પકડી લાવ્યો યુવક ઘણો ડરી ગયો હતો પણ વિક્રમે એને આશ્વાસન આપી બધું જાણી લીધું કે એ યુવતી કોણ છે ? શું છે ? શું વાતો થઈ હતી ? બધુ જાણીને વિક્રમે એને પોતાના મહેલમાં જ રાત રોક્યો અને મધરાત પછી એ. યુવાનનો વેશ લઈ ચાલતો થયો. 
વિક્રમ એ યુવાનના ઘેર આવ્યો. અમાસની રાત હતી. એ યુવતી પાછલા દ્વારે ઉભી ઉભી રાહ જોતી હતી. વિક્રમ એની પાસે જઈને ધીરેથી બોલ્યો-'ચાલ' 
યુવતી પ્રસન્ન થઈ ગઈ. એના હાથમાં ઘરેણા-ની પોટલી હતી. થોડે દુર ગયા પછી વિક્રમ બોલ્યો. ‘તું મારી સાથે ભાગી નિકળી છે. પણ તારા પતિનું શું થશે.?? 
‘તરફડશે બીજું શું ?' 
'ના આપણા માટે એ જોખમ છે.’ 
‘તો શું કરવું ?' 
'તું એક કામ કર અત્યારે એ ઘસઘસાટ ઉંઘતો હશે તે એને બેહોશીની દવા તો આપી છે ને ?” 
અત્યારે એ તને કાંઈ નહીં કરી શકે. તું સરળતાથી એની ગરદન ધડથી અલગ કરી શકે છે. *વિક્રમે તલવાર એને આપી-’ એનું કામ તમામ, 
યુવતી ખચકાવા લાગી તો વિક્રમે પ્યારના સોગંદ આપ્યા એ માની ગઈ અને ઘેર જઈ પતિનુ માથુ કાપી નાખ્યું. 
પછી પાછી આવી.
ઘરેણાની પોટલી વિક્રમ પાસે હતી. એ વિક્રમને પોતાનો પ્રેમી યુવાન જ માની રહી હતી. 
થોડે આગળ જતા વિક્રમ બોલ્યો-
‘તું અહીં થોભ. હું મારો ઘોડો લઈને આવુ છું પછી જલ્દી જવાય.” 
યુવતી માની ગઈ. 
વિક્રમ ઘોડો લાવવાનું બહાનું કાઢી મહેલે પાછો આવ્યો અને નિરાંતે સુઈ ગયો. 
બીજા દિવસે દરબાર ભરાયો. થોડીવાર પછી એક યુવતી રડતી-કકળતી આવી અને વિલાપ કરવા લાગી. 
‘મહારાજ, કાલે રાતે મારા ઘરમાં ચોર આવ્યા. મારા પતિને મારી નાખ્યો. બધા ઘરેણું ચોરી ગયા.' 
 આ યુવતી બીજી કોઈ નહીં એજ સુંદરી 
'સારૂ ચોરનો પત્તો હું લગાવીશ.' વિક્રમે કહ્યું-' હવે તું શું કરીશ ?’ 
' ‘અન્નદાતા... હું મારા પતિ સાથે સતી થઇશ.
'સારૂ....' વિક્રમ બોલ્યો તુ સતી થાય. 'એ હું પણ જોઈશ.’
ત્યારબાદ ચિતા ખડકવામાં આવી. એ સુંદરી સતી થવા માટે ચિતા પર બેસી ગઈ ત્યારે વિક્રમ એની પાસે ગયો. પોટલીના ઘરેણા દેખાડતા બોલ્યો- કે સતી આ ઘરેણા તારા છે ?' 
યુવતી ચોંકી'હા અન્નદાતા પણ પણ ક્યાં મળ્યા ? શું હત્યારો ચોર પકડાઈ ગયો -? તમારો જય હો મહારાજ....' 
વિક્રમનો ચહેરો તમતમી ગયો'હત્યા તો તે કરી છે. સ્ત્રીયા ચરિત્ર દેખાડે છે ? તું પ્રેમી સાથે ભાગી. પતિને માર્યો. પ્રેમી દગો દઈને ભાગી ગયો. હવે નાટક કરે છે ?” 
-
સુંદરીનો ચહેરો ધોળી પૂણી જેવો થઈ ગયો. 
વિક્રમે એને જીવતી બાળી દીધી. 
હે રાજા ભોજ, એ યુવતી પોતાની ફરિયાદ લઈને આવેત તો તું એની વાસ્તતિકતા જાણી ,શકત ? શું તું સ્ત્રીયા ચરિત્રને જાણી શકત ? સ્ત્રીયાચરિત્રને જાણવા વાળો જ સાચો રાજા અને પ્રજાપાલક હોય છે. શું તારામાં આવા ગુણ છે ?' 
ભોજ આ પ્રશ્નનો જવાબ ન આપી શક્યો. એ પુતળી હસતી હસતી આકાશમાં ઉડી ગઈ.

ર૬. વિદ્યાવતીની વાર્તા 

જેવો રાજા ભોજ સિંહાસન તરફ ફર્યો કે તરત વિદ્યાવતીની નામની એક પુતળી બોલી- 'હે ભોજ વિક્રમની એક કથા સાંભળ્યા પછી જ તું આ સિંહાસન પર બેસવાનો વિચાર કરજે. 
એક વાર રાજા વિક્રમ નગર ચર્ચા જોવા નિકળ્યો. રસ્તામાં એક નનામી જોતા દિલમાં વૈરાગ જાગ્યો. આ સંસાર એને અસાર લાગ્યો. એને લાગ્યું કે નથી એણે તપસ્યા કરી કે નથી ભગવાનનું ભજન કર્યું. રાજલોભમાં પડીને વ્યથૅ જીવન ગુમાવ્યુ. હવે પરલોક સુધારવો જોઈએ. 
વિક્રમ તો પ્રધાનને કારભાર સોંપી કોઈને કાંઈ કહ્યા-કારવ્યા વગર જંગલમાં ગયો અને કઠોર તપસ્યા કરવા લાગ્યો. શરૂઆતમાં એક ટંક ખાતો પછી એ પણ છોડી દીધુ. ફકત ફળ કુલ ખાવા લાગ્યો. પછી ફળ જળપાન જ કરતો. 
આ કઠોર તપસ્યાના કારણે એનું શરીર ઘણું દુર્બળ થઈ ગયું. સાધારણ કામ કરવામાં, ઉઠવા-બેસવામાં પણ કષ્ટ થવા લાગ્યુ. 
* જયાં વિક્રમ તપસ્યા કરતો હતો ત્યાં બીજા તપસ્વી પણ આવ્યા અને પોત પોતાની રીતે તપસ્યા કરવા લાગ્યા. કોઈ એક પગ પર ઉભા હતા. કોઇએ એક હાથ ઉંચો રાખ્યો. કોઈ કાંટા પર સુતુ તો કોઈ ગરદન સુધી રેતીમાં દટાઈ ગયા. આસપાસના વાતાવરણમાં સર્વત્ર ભગવાનના નામની ધૂન હતી. 
થોડા સમય પછી વિક્રમે જળનો પણ ત્યાગ કર્યો. 
હવે એ નિરાહાર તપસ્યા કરવા લાગ્યો. આ કારણે એ વધુ કમજોર થઈ ગયો. 
વિક્રમને એની ચિંતા ન હતી. એ ઈશ્વરનું નામ જપતા જપતા જ પોતાના પ્રાણ આપી દેવા ઇચ્છતો હતો એ આ રીતે મૃત્યુ પછી પોતાનો પરલોક સુધારવા ઈચ્છતો હતો. એની દશા એવી
થઈ ગઈ હતી કે એને ઓળખવાનું પણ મુશ્કેલ હતુ. એને જોઈને કોઈ કહી ન શકે કે આ મહા પ્રતાપી રાજા વિક્રમ છે. 
રાજાની બાજુમાં જ તપસ્યા કરવાવાળા એક તપસ્વીએ યોગના બળે જાણી લીધું કે આ રાજા વિક્રમ છે. એને પુછ્યું ‘રાજન્ આટલી કઠોર તપસ્યા શા માટે કરી રહ્યા છો ?
'મુક્તિ માટે કાંઈક તો પરલોક સુધાર....’ *રાજા' તપસ્યા કરવી એ રાજાઓનું કામ નથી. રાજાએ તો પોતાનું રાજકાજ જોવું જોઈએ....’ 
એ બધી માયાજાળ છે. હું એમાંથી છુટ-કારે મેળવવા ઈચ્છુ છું.’ 
તપસ્વીએ આગળ કાંઈ ન કહ્યું. 
વિક્રમ તપસ્યા કરતો રહ્યો. એક દિવસ બેભાન થઈ ગયો. ધણા સમયે ભાનમાં આવ્યો. હવે તપસ્વીથી ન રહેવાયું. એ કહેવા લાગ્યો  હે રાજા, આવી તપસ્યા તમને ન શોભે. કર્મ અને તપસ્યામાં તમે શું ફર્ક માનો છો?' 
‘કર્મનું સ્થાન જુદુ છે. તપસ્યાનું જુદું.? 'ના રાજન્…….બન્નેનું સમાન છે. કર્મ દ્વારા
પણ મનુષ્ય પોતાનો પરલોક સુધારી શકે છે.” 
આટલુ કહીને તપસ્વીએ પોતાના યોગના બળે વિક્રમની સામે યમલોકનું દશ્ય ઉપસ્થિત કરી દીધું. યમરાજ પોતાના દૂતોને પુછી રહ્યા હતા. 
‘આના કર્મ કેવા હતા ?” 
‘એના લેખા ચિત્રગુપ્ત પાસે હશે.’ 
'સારા કર્મોના લેખા હોય તો સ્વર્ગના દ્વાર ખોલી દેજો અને કર્મ સારા નર્કમાં, ધકેલી દેજો....’ હોય તો 
આ દૃશ્ય જોઈ વિક્રમે તપસ્વીના પગ પકડી લીધા અને બોલ્યા—મહાત્મા તમે મારી આંખો ખોલી નાખી. હવે હું સારા કર્મ જ કરીશ.' 
વિક્રમ તપસ્યા છોડી રાજા મહેલમાં પાછો આવ્યો. 
હે રાજા ભોજ, વિક્રમે આ રીતે પોતાના જીવનમાં દરેક વાત અજમાવી જોતો. શું તારા કર્મ આવા છે? જો છે તો વિક્રમના આ સિંહાસન પર બેસ નહીતર દૂર રહે....' કહીને એ પુતળી પણ આકાશ તરફ ઉડી ગઈ.

આગળની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@


 

સિંહાસન બત્રીસી ભાગ-15-16-17-18-19-20 । બત્રીસ પુતળી ની વાર્તા | વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | 15-16-17-18-19-20 પુતળીની વાર્તા Sinhasan battisi episode-15-16-17-18-19-20 | Sihasan batrisi

૧૫. મલયવતીની વાર્તા 

શુભ મૂહતેૅ સિંહાસન પર આરૂઢ થવા તૈયાર થયેલા ભોજને રોકતા મલયવતી બોલી-'એકવાર રાજા વિક્રમ પોતાનું રાજપાટ પ્રધાનને સોંપી તીર્થયાત્રા કરવા નીકળ્યો.
 આ પ્રધાનને બે રાણી હતી. એમાંથી નાની રાણીને પ્રધાન બહુ સ્નેહ કરતો. સતત પોતાની સાથે રાખતો. 
હવે બન્યુ એવું કે એક ચિત્રકાર દરબારમાં આવ્યો. એણે પ્રધાનને એક એકથી ચઢે એવા ચિત્ર દેખાડયા. બધા ચિત્ર એકદમ સજીવ લાગતા હતા. 
ચિત્રો જોઈને બધા દરબારીઓ મુગ્ધ થઈ ગયા. 
પ્રધાને પણ ચિત્રકારની કલાના વખાણ કરતાં કહ્યું- 'તુ જો મને મારી રાણીનું ચિત્ર બનાવી આપે તો હું માનુ....' 
'અવશ્ય બનાવી આપું પણ એ માટે મારે એકવાર તમારી રાણીને જોવી પડે.' ચિત્રકારે કહ્યું. 
પ્રધાને પોતાની પ્રિય રાણીની એક ઝલક ચિત્રકારને દેખાડી. ત્યાર બાદ ચિત્રકાર એકાંતમાં ચિત્ર બનાવવા લાગ્યો. ત્યાં કોઈ ન જઈ શકતું. 
ચાર દિવસમાં તો ચિત્રકારે એવુ હુબહુ ચિત્ર બનાવી આપ્યું કે જાણે સજીવ હોય. બધા વાહ વાહ કરવા લાગ્યા. 
પ્રધાન પણ ખુશ થઈ ગયો અને બીજા દિવસે ચિત્રકારને મોટું ઇનામ આપવાની ઘોષણા કરી. ચિત્ર મહેલે લઈ ગયો.મહેલે જઈ પ્રધાન ધ્યાનથી ચિત્ર જોવા લાગ્યો.
 ચિત્રમાં એની નજર રાણીની ડાબી જાંઘ પર પડી. જાઘ પર મોટો તલ જોતાંજ એ ચોંકયો. 
વાસ્તવમાં એવોજ તલ રાણીની જાંઘ પર બરાબર એજ જગ્યાએ હતો. પ્રધાન વિચારવા લાગ્યો કે શું ચિત્રકારે રાણીની જાંઘ ખોલીને જોઈ છે? 
જોયા વગર ચિત્ર કઈ રીતે બનાવ્યું ? પ્રધાનને શંકા પડી. તરત ચિત્રકારને બોલાવ્યો. 
‘જાંઘ પર શું બનાવ્યું છે?' 
‘તલ છે અન્નદાતા....' 
ते?' ‘તને ક્યાંથી ખબર ? કઈ રીતે બનાવ્યો 
ચિત્રકાર ચુપ રહ્યો. 
'મારી રાણીની જાંઘ પર તલ છે એની તને ક્યાંથી ખબર પડી ? પાપી. ચરિત્રહીન... પારકી સ્ત્રીની જાંઘ જુવે છે?' 
ક્રોધે ભરાયેલા પ્રધાને હુકમ કર્યો કે ચિત્રકારનું માથુ કાપીને જંગલમાં ફેંકી દો અને એની આંખો કાઢીને મારી પાસે લાવો.
 હું એને જોડાથી મસળીશ.સૈનિકો ચિત્રકારને પકડીને જંગલમાં લઈ ગયા. ઈનામના બદલે મોત મળ્યું.
જંગલમાં ગયા પછી બધા સૈનિકોએ મળીને નક્કી કર્યું કે રાજા વિક્રમ આવે ત્યાં સુધી ચિત્રકારને સજા ન કરવી.
 વિક્રમને બધી વાત કરી. એ જેમ કહે તેમ કરવું  એક સૈનિકે ચિત્રકારને પોતાના ઘેર રાખ્યો અને હરણને મારી એની આંખો
આપી દીધી. 
આ વાતને થોડા દિવસ વીતી ગયા. એક દિવસ પ્રધાનનો પુત્ર જંગલમાં ફરવા /
ગયો. ફરતાં ફરતા ભુલો પડયો. સાંજ પડી ગઈ ત્યાં એની નજર એક સિંહ પર પડી. એ ગભરાઈને ભાગ્યો અને એક વૃક્ષ પર ચઢી ગયો.
 વૃક્ષ પર એક રીંછ હતુ. રીંછને જોતાં એ ગભરાયો. ત્યાંજ રીંછ બોલ્યુ 'આરામથી બેસ. સિંહ ચાલ્યો જાય પછી ઉતરી જજે. હું તને નહીં ખાઉં. 
નીચેથી સિંહે ગર્જના કરીને રીંછને પોતાનો શિકાર નીચે પાડવા કહ્યું પણ રીંછ ન માન્યુ એ બોલ્યું-આ મારા શરણે આવ્યો છે.” 
સિંહ તો. ઝાડ નીચે બેસી ગયો. રીંછ અને પ્રધાનપુત્ર સંકટમાં પડી ગયા રાત પડી ગઈ ત્યારે રીંછ બોલ્યુ 'એમ' કર, તું પહેરો ભર હું સુઈ જાઉં છું પછી તું ઉંઘજે,
 હું પહેરો ભરીશ.' રીંછ સુઈ ગયું. 
પ્રધાનપુત્ર જાગતો રહ્યો. રીંછ ઘસઘસાટ ઉંઘી ગયું તો નીચે બેઠેલો સિંહ બોલ્યો-“તું રીંછને નીચે પાડી દે હું એને ખાઈને ચાલ્યો
જઈશ.’ પ્રધાનપુત્ર માની ગયો. એણે રીંછને ધકકો મારી દીધો. રીંછ પડયુ પણ વચ્ચે એક ડાળ પકડી લેતા ગર્જના કરી- માનવ જાતનો કોઈ ભરોસો નથી.
 તેં મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. એની સજા મળશે.’ 
રીંછે પ્રથાનપુત્રના કાનમાં પેશાબ કર્યો એજ વખતે પ્રધાનપુત્ર મુંગો બહેરો બની ગયો. રીંછના પેશાબથી ડરીને સિંહ પણ ડરીને ચાલ્યો ગયો. 
પ્રધાનપુત્ર રડતો રડતો ઘેર આવ્યો હાહાકાર મચી ગયો. 
મોટા મોટા વૈદને બોલાવાયા પણ કોઈની કારીગરી ન ફાવી. ત્યારે પ્રધાને ઢંઢેરો પીટાવ્યો કે જે એના બેટાને સાજો કરશે એને લાખ સોના મહોરનું ઇનામ મળશે.. 
સૈનિકના ઘરમાં છુપાયેલા ચિત્રકારે આ ઢંઢેરો સાંભળીને સૈનિકને કહ્યું- 'હું એનો ઈલોજ કરીશ. પ્રધાન મને ઓળખી ન શકે એ માટે હું સ્ત્રી વેશે જઈશ.’ 
સૈનિક ચિત્રકારને પર્દાવાળી વહુ બનાવી પ્રધાન પાસે લઈ ગયો અને કહ્યું-આ વહુ ઇલાજ જાણે છે પણ એક શર્ત છે. આનું મોં નહીં જેવાનું. 
પ્રધાને હા પાડી. ચિત્રકારે પોતાના ઈલાજ દ્વારા પ્રધાન પુત્રને સાજો કરી દીધો. પ્રધાને ખુશ થઈ ઈનામ આપતા કહ્યું- 'જે કાંઈ માગવું હોય એ માગ.’ 
ચિત્રકારે તરત પર્દો હટાવી દીધો. પ્રધાન ચોંકયો-'તું ?’ 
'હાં અન્નદાતા, તમે વિચાર્યા વગર મને મારી નાખવાનો આદેશ દીધો હતો. તમારે સમજી વિચારીને નિર્ણય કરવો હતો જે રીતે મેં મારી સાધનાથી
 તમારા પુત્રને સાજો કર્યો છે એજ રીતે રાણીના તલ વિષે જાણ્યું હતું. જો મને મારી. નાખ્યો હોત તો તમારાં પુત્રની આજ શી દશા થાત?' 
'ભૂલ થઈ ગઈ ચિત્રકાર ક્ષમા કર...' પ્રધાને માફી માગતા કહ્યું-રાજા વિક્રમ હોત તો કદાપિ આવી ભુલ ન થાત.' 
હે રાજા ભોજ તારામાં આવા ગુણ છે ? આટલું કહીને મલયવતી આકાશમાં ઉડી ગઈ.

૧૬. સુંદરીની વાર્તા 

સુંદરી નામની પુતળી કહેવા લાગી. ‘વિક્રમના રાજમાં બધા સુખેથી રહેતા હતા. 
નગરમાં એક શેઠ હતો. 
શેઠને એક પુત્ર હતો. 
પુત્ર વિવાહને લાયક થતા શેઠે એક બ્રાહ્મણને બોલાવી પુત્રને લાયક કન્યા શોધવા કહ્યું. બ્રાહ્મણ તો ખભે ખડિયો નાખી ચાલતો થયો. 
ફરતો ફરતો આ બ્રાહ્મણ એક ગામમાં આવ્યો. ધર્મશાળામાં રાત વાસો કયો. ત્યાં એને એક બીજો બ્રાહ્મણ મળ્યો. એ કોઈ શેઠની પુત્રી માટે મુરતિયો શોધવા નિકળ્યો હતો. 
સંયોગ એવો બેઠો કે બન્નેએ એક બીજાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. 
સંબંધ પાકકો કરી બ્રાહ્મણ પાછો ફર્યો. લગ્નની તિથિ નકકી થઈ. કન્યાના પિતાને જાણ કરવા માટે બ્રાહ્મણને મોકલાયો. બ્રાહ્મણને રસ્તામાં ડાકુઓની ટોળકીએ પકડી લીધો અને બાનમાં રાખ્યો. બ્રાહ્મણ ખુબ કરગર્યો પણ ડાકુ ન માન્યા. લગ્નની તિથિ નજીક આવતી જતી હતી. એવામાં તોફાન આવ્યું. આ તોફાનનો લાભ લઈ બ્રાહ્મણ ભાગી છુટયો. પડતો, આખડતો, ભુખ્યો તરસ્યો પાછો આવ્યો. આવીને શેઠને બધી વાત કરી. 
શેઠ સંકટમાં પડી ગયા. 
લગ્ન આડે ફક્ત બે દિવસ હતા. રસ્તો ચાર દિવસનો હતો. હવે શું થાય? 
કન્યા પક્ષે બધી વ્યવસ્થા કરી રાખી હશે. યોકકસ તિથિ પર જાન આવશે અને જાન ન આવે તો કન્યા પક્ષની શું દશા થાય? કન્યાની બદનામી થાય. 
શેઠ ગભરાઈ ગયા.
ત્યાંજ બ્રાહ્મણ બોલ્યો-'ચાલો આપણે રાજા વિક્રમની સલાહ લઈએ. 
બંને વિક્રમ પાસે આવ્યા. બધી વાત કરી. વિક્રમ પાસે ઉડણ ખાટલો હતો. પળવારમાં ધારેલી જગ્યાએ પહોંચાડી દે. તરત રાજા વિક્રય બ્રાહ્મણ અને શેઠને ઉડણખાટલા પર બેસાડી પળવારમાં કન્યાના ઘેર પહોંચાડી દીધા. 
શેઠે વિક્રમના પગ પકડી લેતા કહ્યું રાજા તમે લગ્નમાં સામેલ થાવ. તમે મારા પર ઘણો ઉપકાર કર્યો છે. એક નિર્દોષ કન્યાનું જીવન બચાવ્યું છે. 
વિક્રમે શેઠની પ્રાર્થના સ્વીકારી. 
ધામધૂમથી લગ્ન થયા. 
હે રાજા ભોજ 'શું તેં તારા રાજના કોઈ સાધારણ નાગરિકને આ રીતે મદદ કરી છે? તે કરી હોય તો, આ સિંહાસન પર બેસજે. 
આટલું કહીને સુંદરી આકાશમાં ગઈ.

૧૭. સત્યવતીની વાર્તા 

‘જેનો આત્મા શુદ્ધ રહે છે. એ દરેક પરીક્ષામાંથી પાર ઉતરે છે. મનુષ્ય પોતાનું અંતઃ કરણ નિર્મળ રાખવું જોઈએ. દ્વેષ, લોભ, કામ, ક્રોધ, મદથી રહિત મનુષ્ય જ જીવનનું સાચુ સુખ પામે છે. રાજા ભોજ, શું તારુ અંતઃકરણ આટલું નિર્મળ છે? જો હોય તો આ સિંહાસન પર બેશ
સત્યવતીએ રાજા ભોજને રોકીને જે કથા સંભળાવી, તે આ રીતે છે. 
એક વનમાં બે તપસ્વી હતા. એમાંથી એક - તપસ્વી ઘણી વાર રાજા વિક્રમના વખાણ કરતા કહેતો 'રાજા વિક્રમ પાસે આપણા તપજપનું
કાંઈ મહત્ત્વ નથી. એણે બધાને પાછળ રાખી દીધા છે. 
‘એનામાં એવું શું છે?' 
‘તું પોતે જ પરખ કરી લે' 
બંને રાજા વિક્રમની પરીક્ષા લેવા નિકળ્યા. 
ઘોર જંગલમાં એક નાગ સામે મળ્યો. અને તપસ્વીને પ્રણામ કર્યાં. તપસ્વીએ આશીર્વાદ આપતા પૂછયું--
“નાગરાજ, કયાં જાવ છો ?’ 
'શેષનાગના દર્શન કરવા....’ 
'અમે દર્શન કરી શકીએ ?' 
‘જરૂર આવો મારી સાથે’ 
નાગ એ બન્નેને માનભેર પાતાળમાં લઇ ગયો. પાતાળલોકનો વૈભવ જોઈ બન્ને દંગ રહી ગયા. આખું પાતાળ હીરા, માણેક, ઝવેરાતથી ઝગમગતું 
હતુ તેઓ શેષનાગ પાસે આવ્યા. શેષનાગે બન્ને તપસ્વીઓનું સ્વાગત કર્યું. તપસ્વીએ આશીર્વાદ આપ્યા.
 આખી રાત પાતાળમાં રોકાઈ સવારે વિદાય માગી ત્યારે શેષનાગે એમને ચાર માણેક આપતા કહ્યુ
'આ ઘણા ચમત્કારી માણેક છે. પહેલું માણેક જેની પાસે રહેશે એના ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. બીજા માણેકમાં હાથી ઘોડા ઝુલતા રાખવાનો ગુણ છે. ત્રીજુ માણેક આભૂષણોને ગુણુ ધરાવે છે. અને ચોથું માણેક મોક્ષ આપનારૂં છે. તમે તો તપસ્વી છો. કોઈ યોગ્ય વ્યક્તિને આપી દેજો. 
બંને તપસ્વી આભાર માની પૃથ્વી લોક પર આવ્યા અને વિચારવા લાગ્યા કે આ ચારે માણેક રાજા વિક્રમને ભેટ આપી રાજા એનું શું કરે છે એ જોવું. 
થોડા દિવસ પછી બન્ને વિક્રમના દરબારમાં આવ્યા વિક્રમે બંનેનું સ્વાગત કરતા પૂછ્યું.-"આજ્ઞા કરો તમારી શી સેવા કરૂ ?' 
'હે રાજા તમને જોવાની ઘણી ઈચ્છા હતી. અમે તપસ્વી છીએ. અમારી કોઇ જરૂરિયાત નથી. 
પછી બંન્ને તપસ્વીએ વિક્રમને ચારે માણેક આપી એનાગુણ જણાવ્યા. વિક્રમે કૃતજ્ઞતા વ્યક્તકરી. 
તપસ્વી રાજાની નગરીમાં જ રોકાયા. રાજા એ માણેકનું શું કરે છે એ તેઓ જોવા ઈચ્છતા હતા. 
વિક્રમ રાતે નગરચર્ચા જોવા નીકળ્યો ફરતા
ફરતા એક ઘર પાસે આવ્યો. ઘરમાં ઝગડો ચાલતો હતો. થોડી વારે ગૃહસ્વામી બહાર આવ્યો ત્યારે વિક્રમે પૂછયું 'શું વાત છે ?' 
‘આ લોકોની જરૂરિયાતો પુરી કરતા કરતા દમ નીકળી જાય છે.' 
'એક કામ કર મારી પાસે ચાર માણેક છે. એક તું લઈલે ! કહીને વિક્રમે ચારે માણેકના ગુણ જણાવી દીધા. 
“હું પુંછીને આવું છું' કહીને ગૃહસ્વામી અંદર ગયો. જઈને વાત કરી. 
'આભૂષણો વાળું માણેક લઈ લો” પત્ની બોલી. 
“હાથી ઘોડા વાળુ રાખી લો. હું વેપાર કરીશ.’ પુત્ર બોલ્યો. 
‘લક્ષ્મી વાળું રાખી લો’ વહુ બોલી. 
“હું મોક્ષવાળુ રાખવા ઇચ્છુ છુ' ગૃહસ્વામીએ 
વિવાદ જાગ્યો. ગ્રહસ્વામીએ બહાર આવી રાજાને બધી વાત કરી, આ સાંભળીને વિક્રમ હસતા હસતા બોલ્યો- ‘તું ચારે માણેક રાખી લે.’ 
વિક્રમે ચારે માણેક આપી દીધા.બન્ને તપસ્વીને આ વાતની ખબર પડતાં જ તેઓ માની ગયા કે વિક્રમ વાસ્તવમાં મહાન છે. 
'હે રાજા ભોજ ! તું આવો ઉદાર છે ? જો હોય તો આ સિંહાસન પર બેસ. હું તો આ ચાલી' કહીને સત્યવતી આકાશમાં ઉડી ગઈ.

૧૮. રૂપલેખાની વાર્તા 

રૂપલેખા નામની પુતળી કહેવા લાગી "આ સિંહાસન પર બેસવાની ઇચ્છા રાખવાવાળા હે રાજા ભોજ સાંભળ. એક દિવસ રાજા વિક્રમના દરબારમાં બે માણસ આવ્યા. એમનામાં પરસ્પર વિવાદ ચાલતો હતો. એક કહેતો હતો કે જ્ઞાન મોટું બીજા કહેતો હતો કે મન મોટું બન્ને નિર્ણય કરી શકતા ન હતા. વિવાદ વધતો ગયો. અંતે બન્ને રાજા વિક્રમ પાસે નિર્ણય કરાવવા આવ્યા. 
વિક્રમે બન્નેની વાત સાંભળી. 
'રાજન; જ્ઞાન વગર ભલા મન શું કરી શકે ? જ્યારે લોકોને જ્ઞાન છે કે રાજા વિક્રમના રાજમાં અપરાધ કરવા માટે સખત દંડ મળે છે,
તો અપરાધી પોતાના મનનું કહ્યું નથી માની શકતો. આ રીતે જ્ઞાન મનથી મોટુ અને પ્રબળ છે.’ 
બીજો વ્યક્તિ બોલ્યો "મનથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અન્નદાતા. જો મન ન ઈચ્છે તો ભલા કોણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે ? તમારૂ મન ન હોય તો ભલા તમે પ્રજાનું કલ્યાણ કરી શકો ? એટલે મનથી જ્ઞાન નાનું છે. મન જ્ઞાનથી મોટુ છે. 
રાજા વિક્રમે કહ્યું-
‘તમે એક સપ્તાહ પછી આવજો, નિર્ણય મળી જશે. 
* બંન્ને ચાલ્યા ગયા. 
રાજા વિક્રમ બંન્નેની વાત પર વિચાર કરવા લાગ્યો. એ પણ નિર્ણય કરી શકતો ન હતો. મન મોટુ કે જ્ઞાન ? બન્ને એક બીજાથી ક્યાંક ને ક્યાંક ચઢીયાતા દેખાતા હતા. 
બે દિવસ વીતી ગયા. 
એવામાં એક બ્રાહ્મણ દરબારમાં આવ્યો. એણે વિક્રમને માટીનો એક ટુકડો આપતા કહ્યું-
'હે રાજન, આનાથી તમે જે કાંઈ દીવાલ પર બનાવશો એ રાતે સજીવ થઈ જશે. સવારે પાછુ હતુ એવું ને એવું થઈ જશે.’ 
ટુકડો આપીને બ્રાહ્મણ ચાલ્યો ગયો. 
એ રાતે રાજા વિક્રમે પોતાના શયન ખંડની દીવાલો પર દેવી દેવતાના ચિત્ર બનાવ્યા. એ બધા સજીવ થઈ ગયા. એના દર્શન કરી રાજા કુતાર્થ થયો. 
બીજી રાતે એણે અપ્સરાનું ચિત્ર બનાવ્યું. ગાયન-વાદનના ચિત્ર બનાવ્યા. 
આખી રાત અપ્સરાનું નૃત્ય અને ગાયન વાદન થતા રહ્યા. 
હવે તો રોજ રાતે વિક્રમ મનપસંદ ચિત્ર બનાવતો અને સજીવ રૂપે એનો આનંદ લેતો. રાણીઓ પાસે જવાનું બંધ થઈ ગયું. તેથી સૌથી નાની રાણી ચિંતામાં પડી. એક રાતે એણે ગુપ્ત રીતે આખો ખેલ જોયો. એ સમજી ગઈ. 
સવારે એ રાજા પાસે આવી માટીનો ટુકડો માગી લીધો અને દીવાલ પર નદીનું ચિત્ર બનાવી માટીનો ટુકડો રાજાને પાછો આપી દીધો. 
એ રાતે વિક્રમ મોડો પડયો. એ પોતાના શયનખંડમાં કાંઈ ન બનાવી શકયો પણ એકાએક
રાજમહેલમાં નદી નીકળી. બધું પાણીમાં ડુબવા લાગ્યું. વિક્રમ નદીના વમળમાં ફસાઈ ગયે ત્યાં જ એણે વૈતાળને યાદ કર્યો. વૈતાળે આવીને વિક્રમને વમળમાંથી ઉગાયો અને નદીને બાંધી દીધી. 
વિક્રમે નાની રાણીને બોલાવીને પૂછયું. 'નદી તેં બનાવી હતી ?' હા.
‘મને તમારા ટુકડાનું જ્ઞાન થઈ ગયું  તો મારા મને બધું મિટાવી દેવા નદીનું વિચાર્યું .નદી સૌથી સારો ઉપાય હતો. મેં નદી બનાવી દીધી.. 
વિક્રમે તરત માટીનો ટુકડો ભાંગી નાખ્યો. એકા એક જાણે એને પોતાની સમસ્યાનો ઉકેલ મળી ગયો. 
સપ્તાહ પછી બન્ને આવ્યા અને વિક્રમ પાસે નિર્ણય માગ્યે તો વિક્રમ બોલ્યો-
‘સાંભળો જ્ઞાન અને મનમાં કોણ મોટું છે? એ ફેંસલો ખોટો છે. જ્ઞાન જ મન છે અને મન જ જ્ઞાન છે. બન્ને એક બીજાના પૂરક છે. એને અલગ ન કરી શકાય. બન્ને જોડિયા ભાઈ જેવા છે.
વિક્રમનો નિર્ણય એકદમ ઠીક હતો. 
બંને સંતુષ્ટ થયા. 
'હે રાજા ભોજ આવી બુદ્ધિ તારી પાસે છે? જેની પાસે વિક્રમ જેવી બુદ્ધિ હોય એજ આ સિંહાસન પર બેસી શેકે.’ 
આટલું કહીને રૂપલેખા આકાશમાં ઉડી ગઈ.

૧૯. તારામતીની વાર્તા 

'પોતાના શરીર, લક્ષણો કે આકૃતિથી જ કોઈ મહાન નથી થતુ. રાજા ભોજ કર્મ અને જ્ઞાન પણ જરૂરી છે. તુ રાજા બની શકે છે પણ આ સિહાસન પર બેસવાનો અધિકારી ત્યારે બનીશ જ્યારે એવુ કાંઈક તારામાં હશે મારૂ નામ તારામતી છે. હું તને વિક્રમની એક કથા સંભળાવું છું. 
હસ્ત રેખા અને ચામુદ્રિક જ્ઞાનમાં અત્યંત પારંગત એક બ્રાહ્મણ રાજા વિક્રમનું નામ સાંભળીને એને જોવા માટે એના રાજમાં ઘણી લાંબી યાત્રો કરીને આવ્યો. જ્યારે એ ઉજૈણી તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ભીની માટી પર પગલાની છાપ જાઈને એ ચોંકયો. છાપમાં કમળ અને ઉર્ધ્વ રેખા હતી. પગલાની આવી છાપ ચક્રવર્તી સમ્રાટની હોય. તો 
પંડિત ચોક્રયો. 
શું રાજા વિક્રમ આ તરફ પગપાળો ગયો હશે ? 
વિક્રમ માટે આ નવી વાત ન હતી. દૂર દૂર સુધી એ વાતની ખ્યાતિ ફેલાઈ ગઈ હતી કે રાજા વિક્રમ જાત જાતના વેશ ધારણ કરી પ્રજાના સુખ-દુઃખ જાણે છે. 
પંડિત પગલે પગલે ચાલવા લાવ્યો. પગલા જંગલ તરફ જતા હતા. જંગલમાં એક કઠિયારો લાકડા કાપતો હતો. પંડિતે એને પુછ્યું-
'ભાઈ કઠિયારા તે અહીંથી કોઈને જતા જોયો ?” 
'ના હું તો હમણાં જ આવ્યો? કઠિયારો ઓલ્યો. 
પગલા આ જગ્યાએ આવીને અટકી ગયા' હતા. પંડિત ગુંચવાઈ ગયો. આખરે રાજા ગયો ક્રયાં ? 
અચાનક પગલા દેખાયા, એજ પગલા પાસે કઠિયારો કામ કરતો હતો. પંડિત બોલ્યો-“ભાઈ તું તારા પગના તળિયા દેખાડ.' 
કઠિયારાને નવાઈ લાગી તો પંડિત બોલ્યો-*વિસ્મય ન પામ હું પંડિત છુ. તારા પગની રેખાઓ જોઈ ને તારૂ ભવિષ્ય જણાવી  શકુ છું.' 
કઠિયારાએ પગના તળિયા દેખાડયા. પંડિત ફાર્ટી આંખે તાકી રહ્યો. કમળ અને ઉર્ધ્વ રેખા. એ આશ્ચર્યથી બોલ્યો"તારે ચક્રવતી સમ્રાટ હોવું જોઈએ
કઠિયારો હસવા લાગ્યો-. 
‘મહારાજ હું તો જન્મથી કઠિયારો છું. મારો બાપ પણ કઠિયારો હતો. માંડ માંડ ગુજરાન ચલાવુ છું.’ 
પંડિત વિસ્મયથી તાકી રહ્યો. અત્યાર સુધી ભણેલા સામુદ્રિક શાસના સિદ્ધાંતોની સાવ વિરૂદ્ધ હતી આ વાત. 
પંડિત નિરાશ થઈને પાછો ફર્યો. 
કમળ અને ઉર્ધ્વ રેખાવાળો માણસ કઠીયારો. 
પછી પંડિત ઉજૈની નગરીમાં આવ્યો. રાજા વિક્રમના દરબારમાં જઈ પોતાનો પરિચય આપ્યો. વિક્રમે સ્વાગત કર્યું. 
પંડિત કહેવા લાગ્યો-'હે રાજા, હું તમારા પગના તળિયા જોવા ઈચ્છું છું. રેખાઓ જોઈને ભવિષ્યવાણી કરી શકુ છું. 
રાજાએ હસીને પોતાના પગના તળીયા દેખાડયા તો પંડિત ચોંકી ગયો. તળિયાની રેખાઓ રાજાને મહાદરિદ્ર જણાવી રહી હતી. એ વિસ્મયથી કહેવા લાગ્યો- 'હે રાજા સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે *તમારે અત્યંત દરિદ્ર હોવું જોઈએ. આશ્ચર્ય....તમે રાજા કઈ રીતે થઈ ગયા! અમારા શાસ્ત્ર ખોટા છે?” 
‘ના.…” વિક્રમ બોલ્યો- ‘શાસ્ત્ર ખોટા નથી રેખાઓ ફક્ત બાહ્ય આવરણ છે. વાસ્તવમાં કર્મ અને જ્ઞાનની રેખાઓ જુઓ. કમળ અને ઉર્ધ્વરેખા તમને મારા કર્મમાં મળશે. થોભો હું તમને પ્રમાણ આપીશ.' 
રાજાએ પંડિતને રાત રોક્યો. રાતે પોતાની -સાથે લઈ નગરમાં ફરવા નિકળ્યો. રસ્તામાં એક શરાબી મળ્યો. રાજાએ એને સોનામહોર આપી એ
મદિરાલયમાં ગયો અને મદિરા પીવા લાગ્યો. રાજાએ 
એક વૃધ્ધાને સોનામહોર આપી. એણે એ સંભાળીને 
રાખી ખરાબ સમયે કામ આવે. થોડીક સોનામહોર 
એક યુવાનને આપી તો એ બોલ્યો-
'તમારો ધન્યવાદ હું આમાંથી વેપાર કરીશ.’ 
પછી વિક્રમ બોલ્યો. 
‘જોયું પંડિત સોનામહોર બધાને મળી. બધાએ અલગ અલગ ઉપયોગ કર્યો. એ રીતે ભાગ્ય બધાની સાથે રહે છે. માણસ એનો જેવો ઉપયોગ કરવો હોય એવો કરે. રેખાઓ તો ફક્ત બાહ્ય આવરણ છે. એમની પાછળ પણ કાંઈક હોય છે. સામુદ્રિક શાસ્ત્રમાં રેખા, મુખાકૃતિ, વ્યવહાર બધું જોવું પડે છે. 
પંડિતને સંતોષ થયો. 
હે રાજા ભોજ આ સિંહાસન પર બેસવા વાળો વિક્રમ આવો હતો. તારામાં એવી લાયકાત હોય તો તું આ સિંહાસન પર બેસ. 
આટલું કહીને તારામતી આકાશમાં ઉડી ગઈ

૨૦. ધર્મવતીની વાર્તા 

પ્રાતઃકાળનો સમય હતો રાજા વિક્રમ રાજ મહેલના સુંદર ઉદ્યાનમાં પુષ્પોનું સૌંદર્ય નિહાળી રહ્યા હતા. પ્રઘાન અને રાજપુરોહિત પણ સાથે હતા વિક્રમે એક કમળની પ્રશંસા કરી તો રાજ-પુરોહિત બોલ્યા. 
'બધી ઈશ્વરની કૃપા છે. એની ઈચ્છા વગર પાંદડું પણ ન હલી શકે. બધું એના હાથમાં છે. આપણે તો રમકડા છીએ.’ 
આમ વાત ચાલતી હતી. ત્યાં દ્વારપાળે આવી પ્રધાનને સંદેશ આપ્યો કે તમને ઘેર યાદ કરે છે. 
પ્રધાન રાજાની આજ્ઞા લઈને ચાલ્યો ગયો. પ્રધાનના ગયા પછી વિક્રમે રાજ પુરોહિતને 
ચૂછયુ-શું વાત છે ? પ્રધાનજી ઘણા પરેશાન હતા.' 
હાં રાજન્ એમની પુત્રી બહું બીમાર છે.' ‘મને વાત પણ ન કરી ?' 
તમને કહીને એ પિતાના કર્તવ્યમાં વિક્ષેપ પાડવા નથી ઇચ્છતો. પ્રધાનને સતત રાજા સાથે રહેવું પડે. કોણ જાણે ક્યારે જરૂર પડે.'
એ દિવસે બપોરે વિક્રમે રાજ વૈદને બોલાવી પ્રધાન પુત્રીની બીમારી વિષે પૂછયું ત્યારે રાજવૈદ કહેવા લાગ્યો-
'અન્નદાતા એ ગંભીર પણે બીમાર છે. જીવન જોખમમાં છે. એક કામ થાય તો એ બચી જાય પણ કામ ઘણું કઠિન છે. નીલગિરીની ઘાટીમાં ખવાંગ નામનો એક છોડ થાય છે. એ છોડને વાટીને એનો રસ પીવડાવવામાં આવે તો 
‘મંગાવી લો એ છોડ’ વિક્રમ બોલ્યો. ‘અન્નદાતા છોડની ઓળખ તો હું આપુ પણુ લાવે કોણ ? ભયાનક સર્પો ત્યાં વસે છે. ત્યાં જનાર પાછું ન આવે. મારી પાસે એક છોડ હતો
પણ મેં એક રોગીને આપી દીધો. એ છોડ મને એક સાધુએ આપેલો.’ 
'એ સાધુ ક્યાં મળે? 
સાધુનુ શું ઠેકાણું ? વહેતુ પાણી...રમતો જોગી....સાધુ સન્યાસીનું કોઈ ઠેકાણું ન હોય. 
આ વાત સાંભળી વિક્રમ પોતે છોડ લેવા જવા તૈયાર થયો રાજવૈદે છોડની ઓળખ જણાવી. 
ઘણા દિવસની કઠિન યાત્રા પછી વિક્રમ ઘાટીમાં પહોંચી ગયો. ઘાટી ઘણી ઉડી હતી. ભયાનક વૃક્ષો, શીલાઓ અને ટીબાઓ હતા. કદાચ સુરજના કિરણો સેકડો વર્ષોથી ત્યાં પહોંચ્યા ન હતા. 
છોડ શોધવા વિક્રમ ઘાટીમાં ઉતયોં. વાતાવરણ એટલું ડરામણુ હતું કે ધોળા દિવસે કાળજુ ફાટી જાય. 
અચાનક સિંહની ગર્જના સંભળાઈ. 
વિક્રમ સતર્ક થઈ ગયો. તલવાર ખેંચી ત્યાં તો સિંહે છલાંગ મારી. વિક્રમ ઢળી પડયો. સિંહે વિક્રમના ખભા પર થાપો મારી લોચો કાઢી નાખ્યો પણ ત્યાં તો વિક્રમની તલવારે સિંહને વાઢી
નાખ્યો. લોહીની છોળ ઉડી. એક ક્ષણનુ પણ મોડું થયું હોત તો વિક્રેમના જીવનની સમાપ્તિ નકકી હતી. વિક્રમે પોતાની ભુજા પર પાંદડા બાંધી વસ્ત્ર વીંટાળી દીધું અને આગળ વધ્યો. થોડેક આગળ. વધ્યો ત્યાંજ સેંકડો નાગ એનો રસ્તો રોકીને ઉભા રહી ગયા. 
વિક્રમે રસ્તો બદલી નાખ્યો. 
છોડની શોધમાં રાત પડી ગઈ. ભયાનક અંધકાર છવાઈ ગયો. વિક્રમ એક વૃક્ષ પર ચઢીને સુઈ ગયો. આખી ઘાટી ભયાનક અવાજેથી ગુંજતી હતી. 
સવાર પડતાં એ ફરી આગળ વધ્યો ત્યાં જ એ પાછળ ખેંચાવા લાગ્યો એ ગભરાયો કોણ એને ખેંચે છે. ? ત્યાં જ એણે જોયું કે એક વિશાળ કાય નાના પહાડની જેમ પડેલો અજગર શ્વાસ લઈ રહ્યો છે. એ એને ગળી જવા ઇચ્છતો હતો. પળવારમાં તો એ અજગરના પેટમાં પહોંચી ગયો. અજગરે મોં બંધ કરી લીધું. 
જ મુ બંધ થતાં જ વિક્રમને લાગ્યું કે એ ઉકળતા તાવડામાં પડયો છે. અજગરના વિશાળકાય પેટની ગરમીથી એ બળવા લાગ્યો. બેહોશી છવાવા લાગી પણ એણે તલવાર કાઢી અજગરનું પેટ ચીરવાનું શરૂ કરી દીધુ. વિજળીવેગે તલવાર ચલાવવા લાગ્યો અને જોત જોતામાં અજગરનું પેટ ચીરીને બહાર આવી ગયો. 
બહાર આવીને બેસાન થઈ ગયો. 
થોડીવાર પછી ભાન આવ્યું. એ છોડ શોધવા લાગ્યો. છોડ ક્યાંય દેખાતો ન હતો. તો પણ વિક્રમે આશા ન છોડી રાજવૈદ ખોટું ન બોલે. છોડ અવશ્ય મળશે. વિક્રમ કેટલાય દિવસ ભટકતો રહ્યો. 
અચાનક છોડ દેખાયો. પણ આ શું! એની ચારે તરફ ઝેરી વિંછીં હતા. એક વિંછીએ પત્થરને ડ'ખ માર્યો. તડાક કરતો પથ્થર તુટી ગયો અને આગ લાગી ગઈ. રાજા વિક્રમ ધ્રુજી ગયો. કેટલું ભયાનક ઝેર હતુ. વિક્રમ પથ્થર મારી મારીને વિંછીને ભગાડવા લાગ્યો પણ એ હટતાં ન હતા. 
વિક્રમ ત્યાં જ બેસી ગયો. 
પછી વિંછીઓ આપમેળે હટવા લાગ્યા. કતાર બનાવી ચાલ્યા ગયા. વિક્રમ આગળ વધ્યો ત્યાં એક નાગને છોડને વીંટળાયેલો જોયો. વિક્રમે અવાજ કર્યો તો નાગ ફેણ ચઢાવી. વિક્રમે તરત બીજી
દિશામાં પથ્થર ફેંકયો. નાગ એ તરફ સરકી ગયો નાગ હટતાં જ વિક્રમે છોડ લઈ લીધો. 
એણે એ છોડ લાવીને રાજવૈદને આપ્યો. રાજવૈદ આશ્ચર્યથી બોલ્યો કોણ લઈ આવ્યું ?'હુ. 
'તમે.... રાજવૈદે વિક્રમના પગ પકડી લીધા 'તમે મહાન છો. ધન્ય છો. તમારુ રાજ અવિચળ રહે. તમારા સેવક માટે તમે તમારો જીવ જોખમમાં મુકી છોડ લઈ આવ્યા. ભલા આવા રાજાને કોણ ન ચાહે.
રાજવૈદે ઇલાજ ક્યી અને પ્રધાનપુત્રી સાજી થઈ ગઈ..... 
'બોલો રાજા ભોજ' ધર્મવતીએ પૂછયું- ‘તમે કદી તમારા સેવકની આવી સેવા કરી છે ? શું ગુણ છે તમારા કે આ સિંહાસન પર બેસવા ઈચ્છો છો?’ 
આટલું કહી ધર્મવતી આકાશમાં ઉડી ગઈ.

આગળની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@
પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@


 

સિંહાસન બત્રીસી ભાગ-9-10-11-12-13-14 । બત્રીસ પુતળી ની વાર્તા | વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | 9-10-11-12-13-14 પુતળીની વાર્તા Sinhasan battisi part-9-10-11-12-13-14 | Sihasan batrisi


 

૯. મધુમાલતીની વાર્તા 

મધુમાલતી નામની પુતળીએ વિક્રમના પરાક્રમની એક વધુ વાત સંભળાવતા કહ્યું-‘એકવાર વિક્રમે યજ્ઞ કર્યો. યજ્ઞ ચાલતો હતો.

 વિક્રમ હવન કરતો હતો ત્યારે એક અત્યંત ગંદો બ્રાહ્મણ ત્યાં આવ્યો. 

વિક્રમે આંખોથી પ્રણામ કર્યા કારણ કે એના બન્ને હાથમાં હોમની સામગ્રી હતી. બ્રાહ્મણ ત્યાંજ ઉભો રહતો. 

યજ્ઞ પુરો થતા બ્રાહ્મણ કહેવા લાગ્યો-હે રાજા હું બ્રાહ્મણ છું છતાં તેં મારો સત્કાર ન કર્યો' 

'હે દેવતા. મેં તમને આંખોથી પ્રણામ કર્યા હતા. હવન સામગ્રી હાથમાં હોવાથી હું પ્રણામઃ ન કરી શકયો.' 

'સારૂ આજ હું તારો અતિથિ બનવા ઇચ્છુ છુ

વિક્રમ ઘણાજ આનંદથી બ્રાહ્મણને મહેલમાં લઈ ગયો. બ્રાહ્મણ ત્યાં ઠેક ઠેકાણે થુંકવા લાગ્યો. મુત્ર ત્યાંગ અને મહાત્યાગ કરવા લાગ્યો.

 સર્વત્ર દુર્ગંધ ફેલાવા લાગી પણ વિક્રમના કપાળમાં કરચલી ના. પડી એ સતત સેવામાં હાજર હતો. 

‘પાણી લાવ મને તરસ લાગી છે.’ બ્રાહ્મણે ત્રાડ પાડી. 

વિક્રમ પોતે પાણી લઈ આવ્યો. 'તારા  સેવક ક્યાં ચાલ્યા ગયા ?' 

'સેવકોની તમે ચિંતા ન કરો. તમારો સૌથી મોટો સેવક હાજર છે. આજ્ઞા કરો.

 વિક્રમે દુર્ગંધની ફરિયાદ ન કરી અને એમ પણ ન કહ્યું કે દુર્ગંધના કારણે બધા ભાગી ગયા છે. 

જો કે ભયાનક દુર્ગંધના કારણે વિક્રમનું માથુ ફાટતુ હતુ. બ્રાહ્મણ શયનખંડમાં પણ મળ ત્યાગ કરતો એના વસ્ત્રો અને શરીર પણ વિષ્યથી ખરડાયેલા હતા.

'રાજન્, ઘણે દુરથી પગપાળા આવવાના કારણે પગમાં કળતર થાય છે. પગ દબાવ.'  'જેવી આજ્ઞા.' 

વિક્રમ પગ દબાવવા લાગ્યો. ભયાનક દુગ ધથી બેહોશી છવાતી જતી હતી છતાં એ સંયમ રાખી 

ઘણીવાર સુધી પગ દબાવતો રહ્યો. 

બ્રાહ્મણ સુઈ ગયો પણ વિક્રમ એની પાસે જ બેસી રહ્યો. બ્રાહ્મણની આજ્ઞા વગર કઈ રીતે હટાય ? 

એનું માથુ ભમવા લાગ્યું અશ્રુ વહેવા લાગ્યા. તો પણ એ બેસી રહ્યો. 

બ્રાહ્મણે જાગીને ભોજન માગ્યું. વિક્રમ પોતે ભોજન લઈ આવ્યો. 

ભોજન પાસે જ બ્રાહ્મણે વિષ્ય કરી પછી ત્યાંજ બેસીને જમવા લાગ્યો. વિક્રમ હાથ જોડીને સામે ઉભો રહ્યો. 

ત્યારબાદ બ્રાહ્મણ વિક્રમને ત્યાંજ બેસી રહેવાની આજ્ઞા કરી વિશ્રામ કરવા લાગ્યો.

 ભયંકર દુર્ગંધમાં પણ વિક્રમ અવિચળ બેસી રહ્યો. 

અચાનક બ્રાહ્મણ ઉભો થયો અને વિક્રમને "ભેટી પડયો. એજ ક્ષણે દીન દરિદ્ર બ્રાહ્મણ એક

દેવતા બની ગયો. સાથે જ આખા રાજમહેલમાં અદ્ભુત સુગંધ આવવા લાગી. જ્યાં ગંદકી અને વિષ્ય હતી ત્યાં રંગબેરંગી ફુલો ખીલી ઉઠયા. 

‘અતિથિ સત્કારમાં તું ખરો ઉતર્યો રાજા વિક્રમ....જેના માટે તું યજ્ઞ કરતો હતો એજ હું વરુણ છું. તારા રાજમાં કદી દુષ્કાળ નહીં પડે એ મારૂ વચન છે.' 

વરુણદેવ રાજા વિક્રમને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. મહેલમાં સુગંધ ફેલાતા જ બધા આવી ગયા. 

હે રાજા ભોજ, શું તું આટલા કૌર્ય અને વિશ્વાસથી આવા અતિથિનું સ્વાગત કરી શકીશ ? દીન હીનને તો તું તારી પાસે પણ નહીં આવવા દે.

 જો તારામાં આવો કોઈ ગુણ છે તો તું જરૂર આ સિંહાસન પર બેસી શકે છે. 

પોતાની વાત કહીને મધુમાલતી આકાશમાં ઉડી ગઈ.



૧૦. પ્રભાવતીની વાર્તા 


રાજા ભોજ આગળ વધતાં જ પ્રભાવતી નામની એક પુતળી બોલી ઉઠી.-

 'સબુર રાજા ભોજ તેં કદી કોઈનું દુ:ખ દુર કરવા માટે તારા પ્રાણની બાજી લગાવી છે? 

વિક્રમે પોતાના પ્રાણ હોડમાં મુક્યા હતા. એની હું તને વાત સંભળાવું છું.” 

એક દિવસ વિક્રમ રાજબાગમાં ફરવા ગયો. ત્યાં એક યુવાન એને મળવા આવ્યો. 

વસ્ત્રો પરથી એ કોઈ સારા કુળનો લાંગતો હતો પણ એનું શરીર કુશ પડી ગયું હતું. 

મુખ કરમાઈ ગયું હતું. આંખોમાં આંસુ હતા. એ યુવાન વિક્રમને કહેવા લાગ્યો.

“હે રાજન હું જળબંધ નગરીને રાજકુમાર છું. તમારી મદદ માગવા આવ્યો છું. મારા પડોશમાં જળસાગર રાજ્ય છે.

 ત્યાંની રાજકુમારી વસુંધરા છે. એ અદ્વિતીય રૂપવતી છે. એના જેવી સુંદરી ભૂલોકમાં નથી.

 બચપણથી અમે પ્રેમમાં છીએ. હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું છું પણ એના પિતાંએ સ્વયંવર રચ્યો છે 

અને એક ભયાનક શતૅ મુકી છે. દુનિયાનો કોઈ માણસ એ શર્ત પુરી કરી શકે તેમ નથી.’ 

‘શતં શું છે?' વિક્રમે પૂછયું. 

'વસુંધરાના પિતાએ તેલનો એક ઉકળતો તાવડો રાખ્યો છે. એની શતૅ છે.

 કે જે કોઈ તેલના ઉકળતા તાવડામાં ડુબકી મારીને બહાર આવે એને વસુંધરા વરે.

 બધા રાજા આ શર્તથી ડરીને પાછા ચાલ્યા ગયા છે. હું તમારુ નામ સાંભળીને આવ્યો છું મારૂ કસ્ટ દુર કરો 

'સારુ કાલે આવજે હું તારુ કષ્ટ દુર કરીશ' વિક્રમ બોલ્યો. 

રાજકુમારના ગયા પછી વિક્રમ ચિંતામાં પડયો. ત્યાંજ એને વૈતાળ યાદ આવ્યો.

 વૈતાળ હાજર થયો તો વિક્રમે બધી વાત કરી વૈતાળે વિક્રમના હાથમાં નાના નાના દાણા મુકતા કહ્યું. 

“હે રાજન જેવો રાજકુમાર તાવડામાં કુદે કે તરત આ દાણા નાખી દેજે. તાવડાનો બધો તાપ એજ ક્ષણે સમાપ્ત થઈ જશે. ઉકળતું તેણે ઠંડુ થઈ જશે.’ 

'રાજકુમાર પોતે આ દાણા લઈને કુદે તો....” 'ના. દાણા બીજુ કોઈ નાખે.” 

ઉપાય જણાવીને બૈતાળ અદશ્ય થઈ ગયો. બીજા દિવસે રાજકુમાર આવ્યો ત્યારે વિક્રમે કહ્યું કે ચાલ હું પોતે તારી સાથે આવું છું. 

કેટલાય દિવસની યાત્રા પછી બંને સ્વયંવર સ્થળે આવ્યા. ત્યાં એક ઉકળતા તેલનો તાવડો હતો.

 કેટલાય યુવાન વસુંધરાને વરવા આવતા પણ ઉકળતો તાવડો જોઈને પાછા ચાલ્યા જતા. હાથે કરીને કોણ મરે. 

વિક્રમે રાજકુમારી વસુંધરાને જોઈ વાસ્તવમાં એ અદ્વિતીય સુંદરી હતી. એના જેવું રૂપ દેવ-લોકમાં પણ દુર્લભ હતું

વિક્રમે રાજકુમારને તાવડામાં કુદી પડવા કહ્યું તો રાજકુમાર ડરી ગયો 

પણ વિક્રમે એને ખાત્રી આપી ત્યારે રાજકુમારે વિચાર્યું કે પ્રિયાનો વિયોગ સહન કરવાના બદલે મરી જવું સારુ.

 એ તાવડા પાસે ગયો અને ભગવાનનું નામ લઈને કુદી પડયો. ત્યાંજ વિક્રમે દાણા તાવડામાં નાખ્યા. દાણા, 

પડતાંજ ઉકળતું તેલ શાંત અને શીતળ થઈ ગયું. રાજકુમાર સહી સલામત બહાર આવી ગયો. 

લોકો જયજયકાર કરવા લાગ્યા. 

રાજકુમારી વસુંધરાએ એના ગળામાં વર-માળા પહેરાવી ત્યારે સાગર રાજા પુછવા, લાગ્યો કે તું આ વિદ્યા ક્યાંથી શીખ્યો ? 

ત્યારે એ બોલ્યો “હું આ વિષે કાંઈ નથી. જાણતો રાજા વિક્રમે મને મદદે કરી છે. એમના જ કારણે હું વસુંધરાને પ્રાપ્ત કરી રહ્યો છું.' 

સાગર રાજા વિક્રમની પ્રશંસા કરવા લાગ્યો. વસુંધરા જેવી સુંદરી સાથે પોતે લગ્ન ન કરતા રાજકુમારની ઈચ્છા પૂરી કરી એનુ દુઃખ દૂર કરી દીધું. 

હે રાજા ભોજ, તેં કદી કોઈનું કષ્ટ દુર કર્યું છે ? કદી કોઈને આવી મદદ કરી છે ? કરી હોય તો આ સિંહાસન પર બેસ, નહીંતર નહી

પ્રભાવતી પોતાની વાત કહીને આકાશમાં ઉડી ગઈ.


૧૧. પદમાવતીની વાર્તા 

પદમાવતી રાજા ભોજનો રસ્તો રોકતા બોલી-હે રાજા ભોજ' એક વખત વિક્રમ વેશપલટો કરી નગર ચર્ચા જોવા નિકળ્યો.

 અંધારી રાત હતી. રક્ષકો સતર્કતાથી પહેરો ભરતા હતા. આખુ નગર નિરાંતે સુતુ હતું. 

વિક્રમ એક શેરીમાંથી પસાર થતો હતો ત્યાંજ એણે ચીસ સાંભળી એ ચીસની દિશામાં દોડી ગયો. 

જઈને જોયું તો એક દાનવ જેવો પુરૂષ એક સ્ત્રી પર બળાત્કાર કરવાની કોશિશ કરતો હતો.

 સ્ત્રી પૂરી તાકાતથી એનો વિરોધ કરતી ચીસો પાડતી હતી. 

'શોભી જા પાપી કોણ છે તું? રાજા વિક્રમના રાજમાં એક અબળા' 

પર અત્યાચાર કરવાની તે હિંમત કઈ રીતે કરી ?' 

એ કાળો કદરૂપો માણસ વિક્રમ સામે તાકી રહ્યો એનું મુખ ઘણું ડરામણું હતું. એની આંખો માંથી અંગારા વરસતા હતા. 

સ્ત્રી ભયથી કાંપતી એક તરફ ઉભી હતી. 

વિક્રમે તલવારનો વાર કરવા માટે છલાંગ લગાવી તો એ ખડખડાટ હસી પડતા બોલ્યો-

‘તું મારૂ કાંઈ જ નહીં બગાડી શકે....' વિક્રમ નવાઈમાં પડી ગયો. 

ત્યારે રડતી કકળતી સ્ત્રી વિક્રમનો હાથ પકડીને બોલી- ‘તમે એને નહીં જીતી શકો એ રાક્ષસ છે.

 કેટલાય દિવસથી મારી પાછળ પડયો છે. મને પરાણે પત્ની બનાવવા આવે છે. ભગવાનની કૃપાથી આજ સુધી બચતી રહી છું.

 કોઈને કોઈ મુશ્કેલી ઉભી થતા એ મને છોડી દે છે. થોડી વારમાં એ ચાલ્યો જશે.’ તો પણ તું ક્યાં સુધી બચતી રહીશ ? વિક્રમ બોલ્યો.

વિક્રમે ` તરત તલવાર ખેંચી ત્રાડ પાડી સ્ત્રી પ્રુસકે ધ્રુસકે રડવા લાગી. 

જોત જોતામાં એ ભયાનક મુખ વાળો રાક્ષસ અલોપ થઈ ગયો. 

વિક્રમે યુવતીને છાની રાખી અને બધી વાત પૂછી ત્યારે યુવતી બોલી- હું વણિક પુત્રી છું આ મકાન મારા પિતાનું છે. 

થોડા દિવસથી આ દાનવ મારી પાછળ પડયો છે. એ આવતાં જ બધાને બેભાન કરી નાખે છે. પછી મને સતાવે છે. 

'શું એ રોજ આવે છે. ? 'હા એના આવવા જવાનો સમય નકકી છે. હવે એ કાલે રાતે આવશે. 

'સારૂ હું કાલે રાતે આવીશ....’ 'મારા કારણે તું તારા પ્રાણ શા માટે ગુમાવે છે. ? 

એ માણસને ચીરીને એનું લોહીં પી જાય છે. કાલે રાતે એક નગર રક્ષક મને બચાવવા આવ્યો તો. આ રાક્ષસે એને મારી નાંખ્યો અને એનું લોહી પી ગયો.” 

'તું ચિંતા ના કર અવશ્ય આવીશ રાજા વિક્રમના રાજમાં અબળાની ઈજ્જત પર હાથ નાખવા વાળા જીવતા નથી રહેતા' કહીને રાજા

વિક્રમ પાછો ફર્યો. 

બીજા દિવસે વિક્રમ મધરાત પહેલાં જ વણિકના ઘરમાં બેસી ગયો. મધરાત થતાં જ દાનવ આવ્યો અને યુવતીનો હાથ પકડીને છત પર લઈ ગયો. 

'આજ તું નહીં બચે. આજ તને બરબાદ કરીશ.” દાનવે ધમકી આપી ! આજ તને કોઈ નહીં બચાવે. આજ હું તને મારી બનાવીશ. 

યુવતી ચીસો પાડવા લાગી. 

ત્યાંજ વિક્રમ તલવાર લઈને ઘસ્યો પણ દાનવે વિક્રમની તલવાર છીનવીને ફેંકી દીધી. વિક્રમ હિંમત હાર્યા વગર નિઃશસ્ત્ર લડવા લાગ્યો. દાનવ ઘણો શક્તિશાળી હતો.

 ભયાનક યુદ્ધ જામ્યું. વિક્રમને લાગ્યું કે આ દાનવને પહોંચી નહીં શકાય, હમણાં આ દાનવ એને મારી નાંખશે. 

વિક્રમે વૈતાળને યાદ કર્યો. વૈતાળે તરત દાનવને ઉછાળીને ફેંકી દીધો. દાનવ ગાયબ થઈ ગયો. 

'આની સાથે તમારી લડાઈ કઈ રીતે થઈ ગઈ ?” વૈતાળે પૂછયું.

વિક્રમે બધું જણાવી દેતા પુછયું-શું તું આને ઓળખે છે ?” 

હા આ વનભૈરવ છે. મહાશકિતશાળી દાનવ છે. એના પ્રાણ એક વનમાં ખજુરના વૃક્ષમાં છે. એ વૃક્ષ ક્રાપો તો આ મરે.' 

'તો પછી તુંજ એ વૃક્ષ કાપજે.” 

‘સારૂ કાલે તમે એની સાથે યુદ્ધ કરજો. હું એ વૃક્ષ કાપીશ'. વૈતાળ બોલ્યો.' 

બીજી રાતે દાનવ આવ્યો. બધાને બેમાન કરી યુવતીને ઘસડીને છત પર લઈ ગયો. પણ ત્યાં વિક્રમને જોતાંજ એણે ત્રાડ પાડી, 

*“તું ફરી આવ્યો? આજ નક્કી તારૂ મોત છે.” 

‘કોણ મરશે એની તને હમણાં ખબર પડશે.’ 

કહીને વિક્રમ એની સાથે યુદ્ધ કરવા લાગ્યો. દાનવ .વિક્રમનુ ગળુ દાબી એનું લોહી પીવા ઈચ્છતો હુંતો ત્યાંજ એકાએક એ તરફડવા લાગ્યો. 

'હાય મયોૅ…કોઈ મારા પ્રાણ લઈ રહ્યું છે.” 

'તારા પાપનું ફળ છે. મારા રાજમાં અબળા પર આવો અત્યાચાર કરનાર જીવતો નથી રહેતો.” વિક્રમ બોલ્યો.

'શું તું રાજા વિક્રમ છે ?' દાનવ આશ્ચર્યથી બોલ્યો. હા....' 

તો મારૂ મોત ધન્ય થઈ ગયું. તારા વિષે જેવી વાતો સાંભળી હતી એવોજ તું છે. મારો અપરાધ ક્ષમા કરજે.' એટલુ બોલતા જ દાનવના પ્રાણ ઉડી ગયા. 

હે રાજા ભોજ, કોઈ અબળાની ઈજ્જત બચાવવા ખાતર તારા પ્રાણ હોડમાં મુક્યા જેટલી હિંમત તારામાં છે ? જો હોય તોજ તું સિંહાસન પર બેસજે.' 

આટલુ કહીને પુતળી આકાશ માર્ગે ઉડી ગઈ.


૧૨  કીર્તિવતીની વાર્તા 


બ્રાહ્મણોના સ્વસ્તિ વચન સમાપ્ત થતાં જ રાજા ભોજ સિંહાસન તરફ આગળ વાક્યો તો કીર્તિવતી નામની પુતળીએ એનો રસ્તો રોકતા કહ્યું-હે રાજા ભોજ,

 હું તારા રાજમાં એવા સ્વામિ ભક્ત નોકર છે જે પોતાના સ્વામી માટે પ્રાણ આપે? ને છે તો તું આ સિંહાસન પર બેસ. 

રાજા વિક્રમે સેવક ના રૂપમાં કેવી સ્વામી ભક્તિ દાખવી એની હું તને વાત કરૂ છું. 

એક દિવસ વિક્રેમ દિવસે વેશ પલટો કરી નગરમાં ફરવા નિકળ્યો. ફરતો ફરતો એ એક ચોરા પર આવ્યો અને ત્યાં બેઠેલા માણસો સાથે હોકો પીવા બેસી ગયો.

 એણે જાણી જોઈને વિક્રમની જ વાત છેડી તો લોકો: વખાણ કરવા લાગ્યા. વિક્રમ ઘણો દયાળુ અને દાની છે. પ્રજાનો રખેવાળ છે. એવી વાતો થવા લાગી. 

ત્યાંજ એક બ્રાહ્મણ ખડખડાટ હસી પડતા બોલ્યો- “તમે બધા કુવાના દેડકા છો. મેં વિક્રમ કરતાંય મોટો દાની જોયો છે. એનું નામ છે સમુદ્રસેન.

 હું પોતે એના રાજમાં રહીને આવું છું. એ રોજ સવારે એક લાખ સોનામહોનું દાન કરે છે. પછી જ અન્ન લે છે.’ 

બ્રાહ્મણની વાતથી બધાને નવાઈ લાગી. વિક્રમ મહેલે પાછો ફયો. વૈતાળનું સ્મરણ કરી એને આજ્ઞા કરી કે મને રાજા સમુદ્રસેનના રાજમાં પહોંચાડી દે. 

બૈતાળે તરત આજ્ઞનું પાલન કયું". ત્યાં જઈને વિક્રમે જોયું કે પ્રજા ઘણી સુખી હતી. આખા રાજમાં કોઈને કાંઈજ કષ્ટ ન હતુ. 

સમુદ્રસેન રોજ એક લાખ સોનામહોર દાનમાં આપતો. વિક્રમને નવાઈ લાગી કે આની પાસે રોજ એક લાખ સોનામહોર આવે છે ક્યાંથી ?

એનું રહસ્ય જાણવા માટે વિક્રમે રાજાની નોકરી કરવાનું નકકી કર્યું. 

એક ચોકમાં ઉસો રહી એ બુમો પાડવા લાગ્યો .નોકર રાખી લો નોકર' લોકો ઊત્સુક થઈને પૂછવા લાગ્યા-શું કામ કરીશ તુ?” 

જે કોઈ ન કરે એ હું કરીશ.' ‘શું લઈશ?' રોજ એક હજાર સોનામહોર.’ 

બાપ રે… તને તો કોઈ રાજા જ નોકર રાખી શકે. અમારૂ ગજુ નહીં. ઉઠીને લોકો રસ્તે. પડતા. 

ઉડતી ઉડતી આ વાત રાજાને કાને આવી. તરત એણે વિક્રમને બોલાવી નોકર રાખી લીધો અને પહેરો ભરવાનું કામ સોંપ્યું. 

વિક્રમ પહેરો ભરવા લાગ્યો. રાજા રોજ મધરાતે ઉઠીને ક્યાંક જતો: વિક્રમે એનો પીછો કરવાનુ નક્કી કર્યું". 

એક રાતે વિક્રમે રાજાનો પીછો કયી. રાજા એક ગુપ્તમાર્ગ દ્વારા મહેલમાંથી નિકળ્યો. પગપાળા ચાલતો નદી કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં

દીવો બળતો હતો. મા દુર્ગાની એક ભવ્ય મૂર્તિ હતી. મૂર્તિ સામે એક તેલનો તાવડો ઉકળતો હતો. રાજા એમાં કુદી પડયો અને થોડી જ વારમાં તળાઈ ગયો.

 ત્યાંજ એક ડાકણ આવી. એણે. તાવડામાં કાંઈક છાંટયુ તો રાજા સમુદ્રસેન જીવ તો થઇને બહાર આવ્યો. ત્યાંજ દુર્ગાની મૂર્તિના રંગરૂપ બદલાઈ ગયા. 

મૂર્તિએ એક લાખ સોનામહોર આપી. એ લઈને રાજા પાછો આવ્યો. વિક્રમને રહસ્ય જાણવાનો સંતોષ થયો. 

અને એક રાતે એણે પણ આવુ કરવાનો વિચાર કર્યો. તરત બૈતાળને યાદ કરી પોતાના મનની વાત કરતાં કહ્યું જેને એ ડાકણુ મને જીવતો ન કરે તો તું કરજે. 

વૈતાળે હા પાડી. 'બીજી રાતે વિક્રમ એકલો જ મંદિર ગયો અને માતાજીનું નામ લઇને તાવડામાં કુદી પડયો. ત્યાં જ ડાકણ આવી વિક્રમને જીવતો કર્યો. 

વિક્રમને પણ એકલાખ સોનામહોર મળી ગઈ. વિક્રમે એ એક તરફ મુકી બીજીવાર તાવડામાં

છલાંગ મારી અને બીજીવાર લાખ સોનામહોર મેળવી. આવુ બાર વખત કરી બારલાખ સોનામહેર મેળવી. 

જયાં એ તેરમી વાર કુદવા જતો હતો ત્યાં દેવીએ એનો હાથ પકડી લેતા પૂછયું-

'તું વારંવાર આવુ શા માટે કરે છે.?' ‘ગરીબોને દાન કરવા’* 

તો આ થેલીલે આમાંથી સોનામહોર ખુટશે નહીં'. ગરીબોને દાન કરજે બીજા કામ માટે આમાંથી કાંઈ નહીં નીકળે.' દેવી અન્તરધ્યાન થઈ ગયા.

 વિક્રમ થેલી અને મુદ્રા લઈને પાછો ફર્યો. થોડીવાર પછી રાજા સમુદ્રસેન આવ્યો આવીને. જોયું તો તાવડો ન મળે કે દેવીની મૂર્તિ ન મળે. 

રાજા મુંઝાયો. હવે સોનામહોર લાવવી ક્યાંથી ? - શેનું દાન કરવું ? વિલાપ કરતો રાજા પાછો આવ્યો. 

બીજા દિવસે ઢ ઢેરો પીટાવ્યો કે રાજા બીમાર છે. તેથી દાન નહીં થાય દૂર દૂર થી આવેલા લોકો નિરાશ થઈ ગયા.

 ખળભળાટ મચી ગયો. પ્રજા ઈશ્વર પાસે રાજાના સ્વાસ્થયની પ્રાર્થના કરવા લાગી આ બધુ જોઈ વિક્રમ રાજા પાછે આવ્યો 'હે રાજા,

 હું રોજ તમારી પાસેથી હજાર સોનામહોર લઉં છું 

કોઈ ન કરી શકે એવું કામ હું કરૂ છું. આજ સુધી તમે કોઈ કામ ચીંધ્યું નથી. હોય તો કહો 'કામ અશક્ય છે. કરી શકીશ ??"* 

'મારી દેવી અલોપ થઈ ગઈ છે. એને શોધી લાવ. ‘તમારે દેવીનું શું કામ છે. ?' 

‘મને રોજ એક લાખ સોનામહોર મળતી હતી. હવે દાન શાનુ કરવું ?' 

'બસ આટલી જ વાત?' વિક્રમ હસ્યો-'લો આ થેલી દાન કરવા માટે ઈચ્છશો એટલી સોનામહોર મળશે..

: વિક્રમે થેલી રાજાને આપી દીધી 'હે રાજન ! તમે સ્વામી હું સેવક તમારૂ કામ સરળ કરી દેવાનું મારું કર્તવ્ય છે. 

રોજ તમે તાવડામાં પડીને મરો જીવતા થાવ. આ ઘણું કષ્ટપ્રદ હતું એનાથી તમને છુટકારો મળી ગયો મેં તમારા માટે થેલી લીધી છે. 

રાજા ચકિત થઈ જતાં બોલ્યો- પણ આવું શા માટે કર્યું ?? ત્યારે વિક્રમ બેલ્યો. 

રાજા સમુદ્રસેન વિક્રમને ભેટી પડતા બોલ્યો શાબાશ. સ્વામિ ભક્ત સેવક હોય તો તારા જેવો, પણ એક વાત કહે તું સાધારણ માણસ નથી.

 સાચું બોલ તું છે કોણ ?' વિક્રમે પોતાનો પરિચય આપ્યો તો રાજા એના પગમાં પડી જતા નોવ્યો-. 

‘સૌભાગ્ય હું તો તમારા પગની ધુળ પણ નથી

હે રાજા ભોજ વિક્રમ આવો હતો. તારામાં આવા ગુણ છે ? આટલું કહીને કીર્તિવતી આકાશમાં ઉડી ગઈ.


૧૩. સુનયનાની વાર્તા 


જેવો રાજ ભોજ સિંહાસન પર બેસવા માટે આગળ વયો ત્યાંજ એક પુતળી એનો રસ્તો રોકી લેતા બોલી-"મારૂ નામ સુનયના છે.

 તે કદી મનુષ્યને એની જરૂરિયાત પ્રમાણે વસ્તુ આપવાનો ન્યાય કર્યો છે?” વિક્રમે આવો ન્યાય કઈ રીતે કયો એની વાત હું તને કહી સંભળાવું છું. 

એકવાર વિક્રમ શિકાર કરવા ગયો. સાંજ પડી ગઈ તો એક નદી કિનારે તંબુ તાણી આરામ કરવા લાગ્યો. 

એ વખતે નદીના સામા કાંઠે એક મડદું તણાતુ જંતુ હતું. એકાએક એક પિશાચ દેખાયો. એણે મડદાને બહાર એંચી લીધુ અને ઉંચકીને

લઈ જવા લાગ્યો. ત્યાંજ એક યોગીએ તરાપ મારીને એને અટકાવતા કહ્યુ-

‘થોભ મડદુ મારૂ છે. એની સાથે હું ઘણે દુરથી તણાતો આવુ છું. હું એના પર સાધના કરવા ઈચ્છુ છું.’ 

‘બકવાસ ન કર' પિશાચ બોલ્યો-'એના પર મારો હક છે. હું એને ખાઈશ. સૌથી પહેલા એના પર મારી નજર પડી છે.” 

બંન્ને લડવા લાગ્યા. ન યોગી માન્યો ન પિશાય. એટલામાં એક નાવિક ત્યાં આવ્યો. બન્ને ની વાત સાંભળી કહેવા લાગ્યો-

'તમે લોકો નાહક લડો છે. નદી કાંઠે રાજા વિક્રમ છે. એનો ન્યાય જગ પ્રસિદ્ધ છે. એની પાસે જાવ.' 

બન્ને વિક્રમ પાસે આવ્યા અને બધી વાત કરી ન્યાય માગ્યો. 

વિક્રમ બન્નેની વાત પર વિચાર કરવા લાગ્યા. યોગી માટે સાધના હેતુ મડદુ જરૂરી હતુ. પિશાચની ભુખ સમાવવી જરૂરી હતી. કોના

પક્ષમાં ફેંસલો આપેવ ? વિચાર કરીને વિક્રમ બોલ્યો-'હે પિચાય તમે ભુખ્યા છો ને?' 

હા...? ‘તમને કયુ માંસ ભાવે છે ?” 

'હે રાજા મને પાડાનું માંસ બહુ ભાવે છે. પિચાશ બોલ્યો. 

‘ઠીક્ર છે. હું તમારા માટે પાડાનું માંસ મંગાવી દઉં છું.’ 

'પણ મડદુ ?' જુવો પિશાચરાજ જે મનુષ્યની જે જરૂરિયાત હોય એને એ મળવું જોઈએ. 

તમારી ભૂખ પાડાના માંસથી શમી જશે પણ યોગી માટે પોતાની સાધનામાં મડદુ જરૂરી છે. જેની જે વાસ્તવિક જરૂરિયાત છે. 

એને એ અવશ્ય મળવું જોઇએ. પિશાચ માની ગયો. યોગી પ્રસન્ન થઈ ગયો. 

પિશાચે પેટ ભરીને પાડાનું માંસ ખાધુ અને યોગી મડદુ ઉઠાવીને ચાલ્યો ગયો.

વિક્રમ નિષ્ચિત થઈ ને સુઈ ગયો નદી કિનારે એક ડાકણ રહેતી હતી. રાતે એ ફરવા નિકળી. 

વિક્રમને જોતાં જ એને ભુખ લાગી. તેથી વિક્રમને બેભાન કરી જંગલમાં લઈ ગઈ. ઘણા દિવસે માણસ મળ્યો હતો. તેથી એ ખુશ હતી. 

આગ સળગાવી એણે વિક્રમને શેકવાની તૈયારી કરી. વિક્રમ બેભાન હતો. તેથી વૈતાળને યાદ કરી શકતો ન હતો. 

ત્યાંજ પેલો પિશાચ આવ્યો અને ડાકણને લાત મારતા ત્રાડ પાડી અરે! પાપણી આ શું કરે છે ? પરદુખભંજનને ખાય છે.?

ડાકણુ ગભરાઈને ભાગી ગઈ. 

થોડીવારે વિક્રમ ભાનમાં આવ્યો. બધી વાત જાણી પૂછવા લાગ્યો હે પિશાચ, તેં મને શા માટે મદદ કરી?' 

ત્યારે પિશાચ બોલ્યો- હે રાજા, પિશાચ પણ સજજનને સહાયતા કરે છે. દુર્જનને ભગવાન પણ સાથ નથી આપતા. 

હે રાજા ભોજ પોતાની ન્યાય પ્રિયતાના કારણે વિક્રમનું નામ ચારે દિશામાં ફેલાઈ ગયું

હતું. તે કદી આવો ન્યાય કર્યો છે?. ને હોય તોજ સિંહાસન પર બેસજે. 

આટલું કહીને સુનયના આકાશમાં ઉડી ગઈ


૧૪. મૃગનયનીની વાર્તા 


મૃગનયની નામની પુતળી રાજાભોજને કહેવા લાગી. 

એકવાર વિક્રમને વિશાળ યજ્ઞ કરવાનું મન થતા દૂરદૂરના વિદ્વાન બ્રાહ્મણોને નિમંત્રણ મોક લાવ્યા.’ 

એક બ્રાહ્મણે સલાહ આપી 'હે રાજન, આ યજ્ઞમાં દેવી દેવતાને પણ આમંત્રણ આપો. શાસ્ત્રમાં તો દેવતા, ગાંધર્વ, કિન્નર, પિશાચ બધાને નિમંત્રણ આપવાનું લખ્યું છે.' 

વિક્રમે બ્રાહ્મણની વાત માની પોતાના એક દુતને મોકલ્યો. દુત બધાને નિમંત્રણ આપી પાછા

ફરવા લાગ્યો ત્યાંજ એને યાદ આવ્યું કે હજુ સમુદ્રદેવ રહી ગયા છે, 

એ તરત સમુદ્ર કિનારે ગયો અને વિક્રમનું નિમંત્રણ આપ્યું 

વિક્રમનું નામ સાંભળતા જ સાગરદેવ બહાર આવીને બોલ્યા. 'રાજા વિક્રમના આમંત્રણથી હું ઘણો ખુશ થયો છું.

 પણ મારાથી આવી ન શકાય. હું આવુ તો રાજા વિક્રમનું રાજ અને રસ્તાનું બધુંજ પાણીમાં ડુબી જાય' આટલું કહીને સાગરદેવ દુતને એક શંખ આપતા કહ્યુ- “આ સંકટહરણ શંખ છે.

 સંકટ પડતાં જ આ શંખને ફુંક મારવી. -સંકટ તત્કાળ ટળી જશે.. દુત પાછો આવ્યો પણ એણે શંખ પોતાની પાસે જ રાખી લીધો. 

વિક્રમે યજ્ઞનો, આરંભ કર્યો તો દેવલોકમાં ખળભળાટ મચી ગયો. ઇન્દ્ર ગભરાયો. કદાચ વિક્રમ એનું સ્થાન લઈ લેતો ? 

એણે બારે મેઘને બોલાવીને કહ્યું કે યજ્ઞસ્થળને ડુબાડી દે. 

આજ્ઞા થતાં જ બારે મેઘ તુટી પડયા. જોત જોતામાં બધું ડુબવા લાગ્યું.

વિક્રમ ના દુતને પેલો શંખ યાદ આવ્યો એણે જોરથી શંખ ફુક્યો તો વરસાદ થંભી ગયો. પળવારમાં બધું સુકાઈ ગયું. 

ઈન્દ્ર પરેશાન થઈ ગયો એણે આંધી-તુફાનને બોલાવી આક્રમણ કરવાની આજ્ઞા આપી. 

તત્કાળ આંધી ઉપડી પણ દુતે શંખ કુંકતા જ આંધી તોફાનને ભાગવું પડયું. 

હવે તો ઈન્દ્ર ઘણો જ ગમરાયો. બળના બદલે કળ-થી કામ લેવા વિચાર્યું સ્વર્ગની સર્વ શ્રોષ્ઠ અ પ્સરા ઉર્વશીને શંખ લઈ આવવાની આજ્ઞા કરી. 

ઉર્વશી પૃથ્વીલોક પર આવી એના રુપ યૌવન જોઈ દુત અંજાઈ ગયો. 

એ દુત પાસે પ્રણય નિવેદન કરવા લાગી. દુત ચુપ હતો. 

ઉર્વશી આગળ વધવા લાગી તો દુત બોલ્યો 'અરે કોમળાંગી અમારા રાજમાં આવું અનૈતિક આચરણ કોઈ નથી કરતું.’ 

ઉર્વશી નિરાશ થઈને પાછી આવી. ઈન્દ્રના ગભરાટનો પાર ન રહ્યો અચાનક

એને એક યુકિત સુઝી. તરત એ બ્રાહ્મણનું રૂપ ધરી વિક્રમ પાસે આવ્યો અને કહેવા લાગ્યો-

'હે રાજા દાન લેવા આવ્યો છે . વચન આપો તો માગુ.’ 

વિક્રમે વચન આપ્યું તો ઈન્દ્ર બોલ્યો. “આ ચજ્ઞનું બધુ ફળ મને દાનમાં આપી દો. 

‘આપ્યું” વિક્રમ બોલ્યો. વિક્રમની આ દાનવીરતા અને ઉદારતાને ઈન્દ્ર પર એટલો બધો પ્રભાવ પડ્યો કે એણે તત્કાળ બ્રાહ્મણનું રૂપ ત્યાગી પોતાનું અસલ રૂપ ધારણ કર્યું 

અને વિક્રમના ખુબ વખાણ કરી બધી વાત કહી સંભળાવી 

વિક્રમે પોતાના દુતને બોલાવી શંખ વિષે પૂછયું તો દુત બોલ્યો.— 

'હે અન્નદાતા, હું તમારો સેવક છું. તમારા પર સંક્રેટ આવે તો એ મારા પર જ આવ્યું ગણાય, લો આ શંખ..... 

વિક્રમે શંખ દુતને જ ભેટ આપી દીધો. 

ત્યાર બાદ વિક્રમના રાજમાં કદી અતિવૃષ્ટિ ન થઈ. કદી દુષ્કાળ ન પડ્યો. 

હે રાજા ભોજ, વિક્રમનો એક પણ ગુણ તારામાં છે? જો હોય તો જ તું આ સિંહાસન પર બેરાજે. 

આટલું કહીને મૃગનયની વ્યંગભરી નજરે રાજા ભોજને નિહાળતી આકાશમાં ઉડી ગઈ.


આગળની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@

પાછળ ની પુતળી ની વાતાૅ માટે અહીં ક્લીક કરો.>>>@